પંજાબ: આમ આદમી પાર્ટીએ જારી કરી 8 ઉમેદવારોની છઠ્ઠી યાદી
આમ આદમી પાર્ટી (AAP) એ પંજાબ વિધાનસભા ચૂંટણી માટે આઠ ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે. AAPએ આ યાદીમાં 8 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 96 ઉમેદવારોની જાહેરાત કરી છે. પ
આમ આદમી પાર્ટી (AAP) એ પંજાબ વિધાનસભા ચૂંટણી માટે આઠ ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે. AAPએ આ યાદીમાં 8 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 96 ઉમેદવારોની જાહેરાત કરી છે. પંજાબમાં વિધાનસભાની 117 બેઠકો છે. પાર્ટીએ હવે 21 ઉમેદવારોની જાહેરાત કરવાની છે. ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જીત બાદ AAPનો ઉત્સાહ ઊંચો દેખાઈ રહ્યો છે.

AAPએ શ્રી હરગોબિંદપુરથી પોતાના ઉમેદવાર તરીકે એડવોકેટ અમરપાલ સિંહને મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ અમૃતસર પૂર્વથી જીવનજોત કૌરને ટિકિટ આપી છે. આ સીટ પર જીવનજોત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને ટક્કર આપશે. જો કે, તે પટિયાલાથી પણ ચૂંટણી લડશે તેવી ચર્ચા છે. AAPએ અમૃતસર પશ્ચિમથી ડૉ.જસબીર સિંહને ટિકિટ આપી છે. ગુરદિન સિંહ આમલોહથી AAPની ટિકિટ પર મેદાનમાં છે. AAPએ ફાઝિલ્કાથી નરિન્દર પાલ સિંહ સવના, ગિદ્દરબાહાથી પ્રીતપાલ શર્મા, મૌરથી સુખવીર માસેર ખાના અને માલેરકોટલાથી મોહમ્મદ જમીલ ઉર રહેમાનને મેદાનમાં ઉતાર્યા છે.
આ પહેલા મંગળવારે આમ આદમી પાર્ટીએ પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પાંચમી યાદી બહાર પાડી હતી. આ યાદીમાં 15 ઉમેદવારો હતા. AAP એ શ્રી ચમકૌર સાહિબ વિધાનસભા બેઠક પરથી ડો. ચરણજીત સિંહને તેના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની આ બેઠક પરથી ધારાસભ્ય છે. જો તેઓ ફરીથી આ જ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડશે તો મુકાબલો રસપ્રદ બની રહેશે.
AAPએ મંજુ રાણાને કપૂરથલાથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. રણવીર સિંહ ભુલ્લર ફિરોઝપુર શહેરથી AAPના ઉમેદવાર બન્યા છે. AAPએ ભટિંડા શહેરથી જગરૂપ સિંહ ગિલને ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 88 વિધાનસભા સીટો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં 96 ઉમેદવારોની જાહેરાત કરી છે. પંજાબમાં 117 વિધાનસભા બેઠકો છે, AAPએ હવે માત્ર 21 ઉમેદવારોની જાહેરાત કરવાની છે. ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જીત બાદ AAPનો ઉત્સાહ ઊંચો દેખાઈ રહ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
