ઝેરી દારૂ પીવાથી પંજાબમાં 21 લોકોના મોત, તપાસ માટે SITની રચના
કોરોના કાળમાં પંજાબના અમૃતસર, બટાલા અને તરનતારનમાં કથિત રીતે ઝેરી દારૂ પીવાથી 21 લોકોના મોતનો મામલો સામે આવ્યો છે.
કોરોના કાળમાં પંજાબના અમૃતસર, બટાલા અને તરનતારનમાં કથિત રીતે ઝેરી દારૂ પીવાથી 21 લોકોના મોતનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં પંજાબ પોલિસે નકલી દારૂ બનાવનાર અમુક લોકોની ધરપકડ કરી છે. વળી, તરસિક્કના પોલિસ સ્ટેશનના એસએચઓ પર કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કેસની ગંભીરતાને સમજીને મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે એસઆઈટી રચીને મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપી દીધા છે.

અત્યાર સુધી મળેલી માહિત મુજબ આ મોતની તપાસ માટે ચાર સભ્યોની SITની રચવામાં આવી છે જે બધા મામલે તપાસ કરશે. વળી, મેજેસ્ટ્રિયલ તપાસની જવાબદારી સીએમ કેપ્ટન અમરિંદર સિંહે જલંધરના ડિવિઝનલ કમિશ્નરને સોંપી છે. સીએમ અમરિંદરે ડિવિઝનલ કમિશ્નરને એ છૂટ આપી છે કે તે આ કેસની તપાસ માટે કોઈ પણ પોલિસ અધિકારી કે વિશેષજ્ઞની સલાહ લઈ શકે છે. સીએમે કહ્યુ કે તપાસમાં દોષી જણાયેલ લોકો સામે પ્રશાસન કડક કાર્યવાહી કરશે.
પંજાબમાં અમૃતસર જિલ્લાના મુચ્છલ ગામમાં ઝેરી દારૂ પીવાથી 24 કલાકની અંદર 6 લોકોના મોતથી હોબાલો મચી ગયો છે. વળી, 2 કિલોમીટરના અંતરે સ્થિત તંગ્રા ગામમાં 1 વ્યક્તિનુ મોત થયુ છે. અમૃતસર એસએસપી વિક્રમજીત દુગ્ગલે મોતની પુષ્ટિ કરીને આ માહિતી આપી. આ કેસમાં ગુરુવારે મોડી સાંજે આઈપીસીની કલમ 304 હેઠળ કેસ નોંધીને એક મહિલા બલવિંદર કોરે ગામમાં ગેરકાયદે દારૂ વેચવાની શંકામાં ધરપકડ કરી છે. શિરોમણિ અકાલી દળના સ્થાનિક નેતા બલબીર સિંહે જણાવ્યુ કે ગામમાં બધા જાણે છે કે બલવિંદર કૌર ગેરકાયદે દારૂ વેચવાનો વેપાર ચલાવે છે પરંતુ આ આશ્ચર્યજનક વાત છે કે પોલિસ અને સરકારને આ અંગેની માહિતી કેવી રીતે ન મળી.
Punjab Chief Minister Captain Amarinder Singh orders a magisterial inquiry by Divisional Commissioner Jalandhar into the suspicious deaths of 21 people, allegedly due to consumption of spurious liquor, in Amritsar, Batala and Tarn Taran: Punjab Chief Minister's Office (file pic) pic.twitter.com/jTY3EuYcI3
— ANI (@ANI) July 31, 2020
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
