પ્રિયંકાનો મોદી પર હુમલો, તેમનાથી મોટા કાયર અને નબળા પીએમ મે આજ સુધી નથી જોયા
પ્રિયંકા ગાંધી વાડ્રા કોંગ્રેસ ઉમેદવારના પક્ષમાં પ્રચાર કરવા માટે પ્રતાપગઢ પહોંચ્યા. રેલીમાં પ્રિયંકાએ મોદી પર જબરદસ્ત હુમલો કર્યો.
17મી લોકસભા માટે થઈ રહેલા મતદાનનું છઠ્ઠા તબક્કાનું મતદાન 12મેના રોજ થવા જઈ રહ્યુ છે. ગુરુવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા કોંગ્રેસ ઉમેદવારના પક્ષમાં પ્રચાર કરવા માટે પ્રતાપગઢ પહોંચ્યા. રેલીમાં પ્રિયંકાએ મોદી પર જબરદસ્ત હુમલો કર્યો. પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે આમના (મોદી)થી મોટા કાયર, આમનાથી નબળા પ્રધાનમંત્રી મે આજ સુધી નથી જોયા. રાજકીય શક્તિ મોટા મોટા પ્રચારથી નથી આવતી. ટીવીમાં બતાવવાથી નથી આવતી.

‘રાજકીય શક્તિ એ હોય છે જે એ માને કે જનતા સૌથી મોટી છે'
પ્રિયંકાએ કહ્યુ કે રાજકીય શક્તિ એ હોય છે જે એ માને કે જનતા સૌથી મોટી છે. જનતાની વાત સાંભળવાની શક્તિ, જનતાની સમસ્યાઓ ઉકેલવાની શક્તિ, ટીકાઓ સાંભળવાની શક્તિ, વિપક્ષ દળોની વાત સાંભળવાની શક્તિ. પરંતુ આ પીએમ તમારી વાત સાંભળવાની તો છોડો તમને જવાબ પણ નથી આપતા. પ્રિયંકાએ રેલી સંબોધિત કરતા કહ્યુ કે જ્યારે તમારા ઉમેદવાર તમારી વચ્ચે આવે તો જરૂર પૂછો કે 5 વર્ષમાં અમારા માટે શું કર્યુ? 5 વર્ષ પહેલા જ્યારે ભાજપની સરકાર બની તો વચન આપ્યુ હતુ કે 15 લાખ રૂપિયા આપશે. શું તમને આપ્યા? તેમણે કહ્યુ હતુ કે 2 કરોડ રોજગાર આપશે, તેના બદલે 5 કરોડ રોજગાર ઘટાડી દીધા. તમને કહ્યુ હતુ કે નોટબંધીથી કાળુ નાણુ પાછુ આવશે, કોઈ કાળુ નાણુ પાછુ આવ્યુ નહિ. તમને આ સરકારે છેતરી છે.

પ્રિયંકાએ શાયરી કહીને પ્રિયંકા પર સાધ્યુ નિશાન
યુપીમાં આવારા પશુઓની મુશ્કેલી ઉઠવતા પ્રિયંકાએ કહ્યુ કે ખેડૂત આવારા પશુઓથી પરેશાન છે. આખી આખી રાતો ખેતરોની રખેવાળી કરે છે, 12 હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે. ખેડૂતોની આવક અડધી થઈ ગઈ છે. ભાજપવાળા કહેતા હતા કે ગૌશાળા બનાવશે. મે ફૈઝાબાદમાં જોયુ કે ત્યાં એક વાડો બન્યો છે જેમાં ના તો પાણી હતુ કે ના ચારો હતો. ભાજપના વચનો પર અદમ ગોંડવીનો એક શેર યાદ આવી રહ્યો છે...તુમ્હારી ફાઈલોમે ગાંવ કા મૌસમ ગુલાબી હે, મગર યે આંકડે જૂઠે હે યે દાવા કિતાબી હે.

ભાજપ બે-બે હજારની લૉલીપોપ આપી રહી છે
પ્રિયંકાએ કહ્યુ કે તમે એમને પૂછો કે 15 લાખનું શું થયુ, રોજગારનું શું થયુ તેમની પાસે કોઈ જવાબ નહિ હોય. કહ્યુ હતુ કે ભ્રષ્ટાચાર મિટાવી દેશે પરંતુ આખો દેશ જાણી ગયો છે કે ભ્રષ્ટાચારી કોણ છે, હું એક દિવસ જાહેરાત જોઈ રહી હતી જેમાં આવી રહ્યુ હતુ વિજળીના બિલ પર મારી તલવાર ફરીથી એકવાર મોદી સરકાર. જ્યારે સત્ય એ છે કે માત્ર ઉદ્યોગપતિઓના બિલ પર તલવાર ચલાવી છે. આ દેશના ખેડૂતોના વીમાના પૈસા મોદીજીએ ત્રણ ઉદ્યોગપતિ મિત્રોના ખિસ્સામાં નાખી દીધા છે. હાલમાં જ ભાજપવાળાઓએ ખેડૂત સમ્માન યોજના કાઢી છે, ભાજપ બે-બે હજારની લૉલીપૉપ આપી રહી છે, 5 વર્ષો સુધી તો ખેડૂતોને નકારી દીધા. આ ખેડૂત અપમાન યોજના છે. પ્રિયંકાએ કહ્યુ કે અમે કહ્યુ હતુ કે ખેડૂતોનું દેવુ માફ કરીશુ, અમે કર્યુ. અમે કહ્યુ કે અમે 72 હજાર આપીશુ તો આપીશુ, અમારી સરકાર આવી તો અમે ફૂડપાર્ક શરૂ કરીશુ. જે ખેડૂતો દેવુ ના ભરી શકે તેમને જેલમાં નાખવામાં નહિ આવે. અમે દરેક જિલ્લામાં મિની ફૂડપાર્ક બનાવીશુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
