એવુ શું કર્યુ ઇઝરાયેલે કે પીએમ મોદીએ કર્યો ઉલ્લેખ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે હિમાચલ પ્રદેશના હાઇડ્રો પાવર પ્રોજેક્ટના ઉદઘાટન સર્જીકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યો. વધુ વિગતો જાણો અહીં..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે હિમાચલ પ્રદેશના મંડીમાં હતા. અહીં હાઇડ્રો પાવર પ્રોજેક્ટનું ઉદઘાટન કરવા આવેલા પીએમ મોદીએ સર્જીકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યો. આ ઉલ્લેખ સાથે જ તેમણે ઇઝરાયેલનું પણ નામ લીધુ. પીએમ મોદીએ કહ્યુ કે આજે દરેક જણ સર્જીકલ સ્ટ્રાઇક વિશે વાત કરી રહ્યુ છે.

પ્રખ્યાત છે ઇઝરાયેલની આર્મી
પીએમ મોદીએ એક રેલી દરમિયાન કહ્યુ કે જે કામ ઇંડિયન આર્મીએ કર્યુ છે તેના માટે હજુ સુધી માત્ર ઇઝરાયેલની આર્મીને જ ઓળખવામાં આવે છે. પરંતુ હવે દુનિયા જાણે છે કે ઇંડિયન આર્મી પણ આ કરી શકે છે,
પીએમ મોદીએ એ વાત કરી જે ઘણા અંશે સાચી છે. ઇઝરાયેલે આતંકવાદની વિરુદ્ધમાં એ કર્યુ છે જે કોઇએ હજુ સુધી કોઇએ વિચાર્યુ પણ નહિ હોય.

ઇઝરાયેલે પણ સહ્યો છે આતંકવાદ
દુનિયાનો કદાચ જ કોઇ એવોદેશ હશે જેણે આતંકવાદની વિરુદ્ધમાં લડાઇનો આવો અનુભવ કર્યો હોય જેવો ઇઝરાયેલે કર્યો છે. ઇઝરાયેલ 50 ના દાયકાથી આતંકવાદનો સામનો કરી રહ્યુ છે અને આજે આતંકવાદ સામેની લડાઇમાં તેણે ભારત જ નહિ અમેરિકા માટે પણ ઉદાહરણ રુપ કામ કર્યુ છે.
કોઇની પરવાહ કરી નથી ઇઝરાયેલે ઇઝરાયેલે ઘણા ખતરનાક આતંકવાદી હુમલાઓનો સામનો કર્યો છે. કાર બૉમ્બિંગ, આત્મઘાતી હુમલા, હાઇજેકિંગ અને કેટલાય આતંકવાદી સંગઠનો તરફથી આવા ઘણા આતંકવાદી હુમલા સહન કર્યા છે.
ઘણા સંગઠનોએ ફિલીસ્તીન સામે ઇઝરાયેલની નીતિઓનો વિરોધ કર્યો પરંતુ ઇઝરાયેલે ક્યારેય કોઇની પરવાહ કરી નથી. ફિલીસ્તીનના આતંકવાદી સંગઠન હમાસે પાકિસ્તાનમાં હાજર લશ્કર-એ-તોયબાના ઇશારે જ ઇઝરાયેલની જગ્યાએ અહીં ઇસ્લામિક ફિલીસ્તીન દેશની સ્થાપનાના ઇરાદે આતંકવાદ વધારવાનુ ચાલુ કર્યુ.

આતંકવાદી સંગઠનોમાં જોડાયા જાસૂસ
આતંકવાદી હુમલાના જવાબ આપવા માટે ઇઝરાયેલ સરકારે ઇંટેલીજંસ ભેગુ કરવાનુ શરુ કર્યુ અને સુરક્ષાતંત્રને સ્થાપિત કર્યુ. 13 ડિસેમ્બર 1949 ના દિવસે ઇઝરાયેલે ઇંટેલીજંસ એજંસી મોસાદની સ્થાપના કરી હતી. મોસાદે શંકાસ્પદ આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલી ઘણી ફાઇલો તૈયાર કરી.

આતંકવાદી સંગઠનની દરેક જાણકારી
તેણે પોતાના એજંટ્સને આતંકવાદી સંગઠનોમાં જોડી દીધા જેથી સંગઠનોને લગતી માહિતી મેળવી શકે. મોસાદે આતંકવાદી સંગઠનોના નેતાઓની હત્યાઓ અને આતંકવાદી સંગઠનો પર હુમલા જેવી રણનીતિઓને પણ અપનાવી. તેની ટીકાઓ છતા ઇઝરાયેલની સરકારે પીછેહટ કરી નહિ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
