લાલ કિલ્લા પર હુમલો કરનાર આતંકીઓને ફાંસી આપવાની તૈયારીઓ શરૂ, તિહાર જેલમાં માંગી ડેટ વોરંટ
એક વરિષ્ઠ જેલ અધિકારીએ જણાવ્યું હતું કે તેઓએ આ મહિનાની શરૂઆતમાં કોર્ટને ફાંસીની પ્રક્રિયા શરૂ કરવા માટે પત્ર લખ્યો હતો. અધિકારીઓએ સજા માટે ડેન્ટ વોરંટ જારી કરવાની અપીલ કરી છે.
વર્ષ 2020માં દિલ્હીના લાલ કિલ્લા પર થયેલા આતંકવાદી હુમલામાં દોષિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદી મોહમ્મદ આરીફ ઉર્ફે અશફાકને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. અશફાક હાલમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. હવે દિલ્હીની તિહાર જેલ સત્તાવાળાઓએ તીસ હજારી કોર્ટને પત્ર લખીને અશફાકને ફાંસીની સજાની તારીખ નક્કી કરી છે.

એક વરિષ્ઠ જેલ અધિકારીએ જણાવ્યું હતું કે તેઓએ આ મહિનાની શરૂઆતમાં કોર્ટને ફાંસીની પ્રક્રિયા શરૂ કરવા માટે પત્ર લખ્યો હતો. અધિકારીઓએ સજા માટે ડેન્ટ વોરંટ જારી કરવાની અપીલ કરી છે. તિહાર જેલના અધિકારીએ જણાવ્યું કે આ મામલો 27 ફેબ્રુઆરી માટે સૂચિબદ્ધ છે. આરિફે રાષ્ટ્રપતિને પોતાની સજા ઘટાડવાની અપીલ કરી નથી.
માનવામાં આવી રહ્યું છે કે હવે આતંકવાદી આરિફને ફાંસી આપવી એટલી સરળ નહીં હોય. કારણ કે આરિફ પાસે છેલ્લી ઘડીમાં પણ સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ સમક્ષ ફરીથી દયાની અરજી દાખલ કરવાનો મોકો છે. જે ફાંસીથી બચી શકે છે. તમને જણાવી દઈએ કે 22 ડિસેમ્બર 2000ના રોજ દિલ્હીના લાલ કિલ્લા પર તૈનાત સૈનિકો પર પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના 6 આતંકીઓએ હુમલો કર્યો હતો.
લશ્કરના આ આતંકવાદીઓએ જવાનોની બેરેક પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ આતંકીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ભારતીય સેનાની રાજપૂતાના રાઈફલ્સની યુનિટ 7 લાલ કિલ્લા પર તૈનાત હતી અને તેમના પર ગોળીબાર કર્યો. આ હુમલામાં સેનાના ત્રણ જવાન શહીદ થયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે તમામ આતંકવાદીઓ લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવાના બહાને લાલ કિલ્લામાં ઘૂસ્યા હતા.
હુમલા બાદ આ આતંકીઓ કિલ્લાની પાછળની દિવાલ ઓળંગીને નાસી છૂટ્યા હતા. જે બાદ પોલીસે આ કેસમાં આરીફની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે લશ્કરના શંકાસ્પદ આતંકવાદી બિલાલ અહેમદના ખાતામાં હવાલા દ્વારા 29.50 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ પૈસા મોહમ્મદ આરીફે જ ટ્રાન્સફર કર્યા હતા. તે આ હુમલાનો માસ્ટર માઈન્ડ હતો. અશફાકે પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલરો દ્વારા હવાલા મારફતે આ પૈસા મેળવ્યા હતા.
ઓક્ટોબર 2005માં ટ્રાયલ કોર્ટે આરિફને મૃત્યુદંડની સજા ફટકારી હતી. સપ્ટેમ્બર 2007માં દિલ્હી હાઈકોર્ટે તેમની સજાને યથાવત રાખી હતી. આ પછી તેણે હાઈકોર્ટના નિર્ણયને પડકારતા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. ઑગસ્ટ 2011માં સર્વોચ્ચ અદાલતે આરિફને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા યથાવત રાખતા અરજીને ફગાવી દીધી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
