કેરળમાં ગર્ભવતી હાથણીના મોત કેસમાં એક વ્યક્તિની ધરપકડ
દેશના કેરળ રાજ્યથી હાલમાં જ એક હાથણી વિશે ચોંકાવનારો કેસ સામે આવ્યો હતો. આ કેસમાં એક આરોપીની ધરપકડ થઈ ગઈ છે.
દેશના કેરળ રાજ્યથી હાલમાં જ એક હાથણી વિશે ચોંકાવનારો કેસ સામે આવ્યો હતો. આ કેસમાં એક આરોપીની ધરપકડ થઈ ગઈ છે. કેરળના વન મંત્રી કે રાજુએ જણાવ્યુ કે પલ્લકડાં હાથણીના મોત કેસમાં એક વ્યક્તિની ધરપકડ થઈ છે. તમને જણાવી દઈએ કે અહીં એક ગર્ભવતી હાથણીનુ મોત પાણીમાં ઉભા-ઉભા જ થઈ ગયુ હતુ. આ હાથણીએ એક અનાનસ ખાધુ હતુ જેની અંદર દિવાળીમાં ફોડવાના ફટાકડા ભરેલા હતા. આ ફળ હાથણીના મોઢામાં ફાટી ગયુ ત્યારબાદ હાથણીનુ દર્દનાક મોત થઈ ગયુ. આ ઘટના પર લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

દોષિતોને સજા અપાવવા માટે દરેક સંભવ કોશિશ કરીશુ
આના એક દિવસ પહેલા મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ટ્વિટ કરીને કહ્યુ કે, પલક્કડ જિલ્લામાં એક દુઃખદ ઘટનામાં એક ગર્ભવતી હાથણીનો જીવ જતો રહ્યો. આ વિશે લોકોમાં ઘણો ગુસ્સો છે પરંતુ હું તમને આશ્વસ્ત કરવા માંગુ છુ કે તમારી ચિંતાઓ વ્યર્થ નહિ જાય. ન્યાયની જીત થશે. તેમણે લખ્યુ કે ત્રણ શંકાસ્પદો પર ધ્યાન કેન્દ્રિત કરીને તપાસ ચાલુ છે. પોલિસ અને વન વિભાગ સંયુક્ત રીતે ઘટનાની તપાસ કરશે. જિલ્લા પોલિસ પ્રમુખ અને જિલ્લા વન અધિકારીએ આજે ઘટના સ્થળનો પ્રવસા કર્યો. અમે દોષિતોને સજા અપાવવા માટે દરેક સંભવ કોશિશ કરીશુ.

અમુક લોકોએ નફરત ફેલાવનાર અભિયાનમાં ફેરવી દીધુ
પિનરાઈ વિજયને કહ્યુ, અમે માનવ-વન્યજીવ સંઘર્ષની વધતી ઘટનાઓ પાછળના કારણોનુ સમાધાન કરવાનો પણ પ્રયાસ કરીશુ. જળવાયુ પરિવર્તન સ્થાનિક સમુદાયો અને જાનવરો બંને પર પ્રતિકૃળ પ્રભાવ નાખી શકે છે. સોશિયલ મીડિયામાં ચાલી રહેલ ખોટા સમાચારો વિશે સીએમ પિનરાઈએ કહ્યુ કે અમને એ વાતનુ દુઃખ છે કે આ ઘટનાને અમુક લોકોએ નફરત ફેલાવનાર અભિયાનમાં ફેરવી દીધુ છે. ખોટા વિવરણો અને અધૂરી સચ્ચાઈને પૂરુ સત્ય બનાવવાની કોશિશ કરી છે. અમુક લોકોએ આનો કટ્ટરતા વધારવા માટે ઉપયોગ કર્યો.

નદીમાં માથુ ઝૂકાવીને ઉભેલી હાથણીનો ફોટો પણ પોસ્ટ કર્યો
મુખ્યમંત્રીએ કહ્યુ કે કેરળ એક એવો સમાજ છે જે અન્યાય સામે નારાજગીનુ સમ્માન કરે છે. આમાં સારી વાત એ છે કે આપણને ખબર છે કે અન્યાય સામે આપણે પોતાનો અવાજ ઉંચો કરી શકીએ છે. આપણે બધા પોતાની રીતે અન્યાય સામે લડનારા લોકો છે. તમને જણાવી દઈએ કે સાયલન્ય વેલી જંગલમાં હાથણીના દુઃખદ મોતનો ખુલાસો વન વિભાગના એક અધિકારી દ્વારા પોતાની ફેસબુક પોસ્ટ પર ભાવુક ટિપ્પણી પોસ્ટ કર્યા બાદ થયો હતો. તેમણે લખ્યુ હતુ, જ્યારે અમે તેને જોઈ તો તે નદીમાં ઉભી હતી. તેનુ માથુ પાણીમાં ડૂબેલુ હતુ. તેને પોતાની છઠ્ઠી ઈન્દ્રિયથી સમજાઈ ગયુ હતુ કે તે મરવાની છે. તેણે ઉભા ઉભા જ જળસમાધિ લઈ લીધી. તેમણે નદીમાં માથુ ઝૂકાવીને ઉભેલી હાથણીનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
