પીએમ મોદી સામે વારાણસીથી ચૂંટણી લડી શકે છે પ્રવીણ તોગડિયા
વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ નેતા પ્રવીણ તોગડિયાએ પણ એલાન કર્યુ છે કે તેમની નવગઠિત પાર્ટી ગુજરાતની 15 સીટે સહિત દેશભરની લગભગ 100 લોકસભા સીટો પર ચૂંટણી લડશે.
લોકસભા ચૂંટણી માટે તારીખોના એલાન સાથે બધા રાજકીય દળોએ પોત પોતાના ઉમેદવારોના નામ ઘોષિત કરવા શરૂ કરી દીધા છે. લોકતંત્રના આ મહાપર્વમાં દેશના નાના મોટા બધા રાજકીય પક્ષો પોત પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ નેતા પ્રવીણ તોગડિયાએ પણ એલાન કર્યુ છે કે તેમની નવગઠિત પાર્ટી ગુજરાતની 15 સીટે સહિત દેશભરની લગભગ 100 લોકસભા સીટો પર ચૂંટણી લડશે. વળી, તેમણે એ પણ કહ્યુ છે કે તે અયોધ્યા, મથુરા કે વારાણસીથી ચૂંટણી લડી શકે છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી પણ વારાણસીની લોકસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે.

વારાણસી, મથુરા કે અયોધ્યાથી ચૂંટણી લડી શકે છે તોગડિયા
પ્રવીણ તોગડિયા હિંદુસ્તાન નિર્માણ દળ (એચએનડી) નામની પાર્ટી બનાવી છે. તેમણે લોકસભા ચૂંટણી માટે 41 ઉમેદવારોના નામનું એલાન પણ કરી દીધુ છે. પ્રવીણ તોગડિયાએ કહ્યુ કે તે ઉત્તર પ્રદેશની વારાણસી, અયોધ્યા કે મથુરા લોકસભા સીટથી ચૂંટણી લડી શકે છે. વારાણસી લોકસભા સીટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યા છે. પીએમ મોદીના ચૂંટણી લડવાની ઘોષણા ભાજપના ઉમેદવારોની પહેલી લિસ્ટમાં કરવામાં આવી હતી.

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ મુખ્ય મુદ્દો - તોગડિયા
પ્રવીણ તોગડિયાએ કહ્યુ કે તેમનો પક્ષ એચએનડીનો મુખ્ય મુદ્દો અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરાવાનો છે. આ ઉપરાંત કૃષિ ઉત્પાદન માટે સારુ મુલ્ય અને કૃષિ પર કેન્દ્રિત રોજગાર પેદા કરવાનું તેમનુ લક્ષ્ય હશે. આ પહેલા પ્રવીણ તોગડિયાએ મોદી સરકાર પર નિશાન સાધ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે દેશમાં ભાજપની સરકાર જે મુદ્દાઓ લઈને આવી હતી તે એક પણ મુદ્દા પર ખરી નથી ઉતરી શકી. એટલા માટે હવે મોદી સરકાર નહિ પરંતુ હિંદુઓની સરકાર બનશે.

સાત તબક્કામાં થશે દેશભરમાં લોકસભા ચૂંટણી
તમને જણાવી દઈએ કે આ વખતે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં આયોજિત કરવાની છે. લોકસભા ચૂંટણી પહેલા તબક્કામાં જ્યાં 11 એપ્રિલે મતદાન થવાનું છે ત્યાં છેલ્લા તબક્કામાં 19 મેના રોજ મતદાન પૂરા થશે જ્યારે ચૂંટણી પરિણામ 23 મેના રોજ ઘોષિત કરવામાં આવશે. યુપીની વાત કરીએ તો અહીં પણ સાત તબક્કામાં રાજ્યની 80 લોકસભા સીટો પર મતદાન પૂરુ થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
