પ્રણવ મુખર્જીની તબિયતમાં કોઈ સુધારો નહિ, સ્થિતિ નાજુક, વેંટીલેટર સપોર્ટ પર
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયતમાં પાંચમાં દિવસે પણ સુધારો નથી દેખાઈ રહ્યો.
નવી દિલ્લીઃ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયતમાં પાંચમાં દિવસે પણ સુધારો નથી દેખાઈ રહ્યો. હજુ પણ તેની સ્થિતિ નાજુક છે અને તેમને વેંટીલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. પ્રણવ મુખર્જી છેલ્લા છ દિવસોથી દિલ્લીના આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં ભરતી છે. આજે(શનિવારે) સવારે ડૉક્ટરોએ જણાવ્યુ કે પ્રણવ મુખર્જીની તબિયત સતત નાજુક થઈ રહી છે. તમામ કોશિશો છતાં કોઈ સુધાર નથી. ડૉક્ટરોની એક ટીમ સતત તેમની તબિયતનુ નિરીક્ષણ કરી રહી છે.

10 ઓગસ્ટે પ્રણવ મુખર્જીને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોના જણાવ્યા મુજબ માથામાં લોહી જામી ગયુ હતુ જેના કારણે તેમની ઈમરજન્સીમાં સર્જરી કરવામાં આવી. ત્યારબાદ હોસ્પિટલમાં તમામ નિરીક્ષણ છતાં તેમની તબિયત બગડી રહી છે અને સતત તેમને વેંટીલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. રૂટીન તપાસ દરમિયાન તેમને કોરોના સંક્રમિત હોવાની વાત પણ સામે આવી હતી. ત્યારબાદતેમના જ ટ્વિટર હેન્ડલથી તેમના કોરોના સંક્રમિત હોવાની માહિતી આપવામાં આવી હતી.
હાલમાં જ પ્રણવ મુખર્જીના મોત વિશે પણ અફવા ફેલાઈ હતી ત્યારબાદ પ્રણવ મુખર્જીના દીકરા અભિજીત મુખર્જીએ તેમના વિશે આ પ્રકારના સમાચારોને ફગાવીને કહ્યુ કે તેમના પિતા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી જીવિત છે અને હાલમાં કૃત્રિમ રીતે તેમના સ્વાસ્થ્યને સ્થિર રાખવામાં આવી રહ્યુ છે. પ્રણવ મુખર્જી ભારતીય રાજનીતિનુ મોટુ નામ રહ્યા છે. તે ઘણી વાર કેન્દ્રીય મંત્રી અને બીજા મોટા પદો પર રહ્યા. ત્યારબાદ ભારતના રાષ્ટ્રપતિ પણ રહ્યા. ગયા વર્ષે ઓગસ્ટમાં પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપવામાં આવ્યુ. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ સહિત ઘણા લોકોએ પ્રણવ મુખર્જીના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
