પ્રજ્ઞા ઠાકુરે ગોડસેવાળા નિવેદન પર લોકસભામાં માફી માંગી, ‘મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરાયુ'
ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે બે દિવસ પહેલા લોકસભામાં નાથૂરામ ગોડસે વિશે આપેલા પોતાના નિવેદન માટે માફી માંગી લીધી છે.
ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે બે દિવસ પહેલા લોકસભામાં નાથૂરામ ગોડસે વિશે આપેલા પોતાના નિવેદન માટે માફી માંગી લીધી છે. ભોપાલ સાંસદ પ્રજ્ઞા ઠાકુરે શુક્રવારે લોકસભામાં કહ્યુ કે તેમના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યુ. તેમછતાં કોઈને મારી વાતથી ઠેસ પહોંચી હોય તો હું ખેદ પ્રગટ કરુ છુ. પ્રજ્ઞાએ બુધવારે લોકસભામાં ગોડસેને દેશભક્ત કહ્યા હતા જે માટે વિપક્ષે તેમના પર જોરદાર હુમલો કર્યો હતો.

મને આતંકી કહેવામાં આવીઃ પ્રજ્ઞા
ભોપાલથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે લોકસભામા કહ્યુ મે કોઈની ભાવને ઠેસ પહોંચાડી હોય તો હું ખેદ વ્યક્ત કરુ છુ. મહાત્મા ગાંધીએ દેશ માટે જે યોગદાન આપ્યુ તેને ભૂલી ન શકાય. સાથે જ એ પણ કહીશ કે મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યુ. મને આતંકવાદી કહેવામાં આવી જ્યારે મારી સામે કોઈ અદાલતમાં કંઈ પણ સાબિત થયુ નથી. આ દરમિયાન વિપક્ષ તરફથી ‘મહાત્મા ગાંધીની જય ડાઉન ડાઉન ગોડસે'ના નારા લાગ્યા.

ટ્વીટ કરીને પણ આપી સફાઈ
આ પહેલા પ્રજ્ઞા ઠાકુરે આ મુદ્દે સફાઈ આપીને ટ્વિટમાં લખ્યુ હતુ, ‘ક્યારેક જૂઠનુ બવંડર એટલુ ઉંડુ હોય છે કે દિવસે પણ રાત લાગવા લાગે છે પરંતુ સૂર્ય પોતાનો પ્રકાશ નથી ગુમાવતો. પળભરના બવંડરમાં લોકો ભ્રમિત ન થાય, સૂર્યનો પ્રકાશ સ્થાયી છે. સત્ય એ જ છે કે મે ઉધમ સિંહજીનુ અપમાન નથી સહન કર્યુ બસ.'

શું કહ્યુ હતુ ભાજપના પ્રજ્ઞા ઠાકુરે
પ્રજ્ઞા સિંહ ઠાકુરે બુધવારે લોકસભામાં એસપીજી સુધારા બિલ પર ચર્ચા દરમિયાન ગોડસેને દેશભક્ત કહ્યા હતા. સાંસદ એ રાજા જ્યારે બોલી રહ્યા હતા તો તેમને ટોકીને તેમણે કહ્યુ. જેના પર હોબાળો થયો. ત્યારબાદ લોકસભાની કાર્યવાહીથી તેમના નિવેદનને હટાવી દેવામાં આવ્યુ. ભાજપે તેના નિવેદનને અયોગ્ય ગણાવ્યુ અને તેમને સંરક્ષણ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિમાથી હટાવી દીધા. પ્રજ્ઞાએ પણ સફાઈ આપીને કહ્યુ કે તેમણે ગોડસેને નહિ પરંતુ ઉધમસિંહને દેશભક્ત કહ્યા હતા પરંતુ હોબાળો ચાલુ રહ્યો અને આજે તેમણે માફી માંગી લીધી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
