નોઇડામાં રાજકીય અને જાતિગત સમીકરણ, જાણો કોને મળશે લાભ?
દિલ્હીને અડીને આવેલા નોઈડાનો રાજકીય પારો ઊંચો છે. ભાજપ, સપા, કોંગ્રેસ અને બસપાએ પૂરજોશમાં જોર લગાવી રહ્યા છે. રાજનાથ સિંહના પુત્ર પંકજ સિંહના ચૂંટણી લડવાના કારણે આ વિધાનસભા અચાનક ચર્ચામાં આવી ગઈ હતી.
નોઈડા : દિલ્હીને અડીને આવેલા નોઈડાનો રાજકીય પારો ઊંચો છે. ભાજપ, સપા, કોંગ્રેસ અને બસપાએ પૂરજોશમાં જોર લગાવી રહ્યા છે. રાજનાથ સિંહના પુત્ર પંકજ સિંહના ચૂંટણી લડવાના કારણે આ વિધાનસભા અચાનક ચર્ચામાં આવી ગઈ હતી. નોઇડા સીટ 2012માં બનાવવામાં આવી હતી. તે પહેલા તે દાદરી એસી સીટ હેઠળ હતી. ડો. મહેશ શર્મા નોઇડા સીટ પરથી પહેલા ધારાસભ્ય હતા, બાદમાં તેઓ 2014માં સાંસદ બન્યા હતા. વિમલા બાથમે 2014માં પેટા ચૂંટણી સફળતાપૂર્વક લડી હતી. જે બાદ 2017માં રાજનાથ સિંહના પુત્ર પંકજ સિંહ આ બેઠક પરથી ચૂંટાયા હતા.
અહીંનો રાજકીય ઈતિહાસ એવો રહ્યો છે કે, ચૂંટણી જંગમાં ઉમેદવાર જીતે છે, જેની પોતાની તાકાત હોય છે અને તેની જ્ઞાતિનું સમર્થન હોય છે. નોઇડા જિલ્લામાં ત્રણ વિધાનસભા મતવિસ્તાર છે - નોઈડા, દાદરી અને જેવર. હાલમાં નોઈડા સિવાય બંને સીટ પર બસપાનો કબ્જો છે. નોઈડા ખૂબ જ હાઇપ્રોફાઈલ સીટ છે. ઉત્તર પ્રદેશ સરકારને સૌથી વધુ આવક પણ આ જિલ્લામાંથી થાય છે, પરંતુ રાજકીય અંધશ્રદ્ધાના કારણે ઉત્તર પ્રદેશના કોઈ મુખ્યમંત્રી નોઇડા આવવા માગતા નથી.

નોઇડા વિધાનસભા સીટ પર એક નજર
મોટાભાગના મતદારો બ્રાહ્મણો છે. લગભગ 1 લાખ 50 હજાર બ્રાહ્મણ મતદારો છે. બનિયાના મતદારો પણ દોઢ લાખની આસપાસ છે. દલિત મતદારોની સંખ્યા 30હજારની આસપાસ છે. મુસ્લિમ મતદારો પણ 30 હજાર છે. આ સિવાય શીખ મતદારો ખૂબ મહત્વ ધરાવે છે, જે લગભગ 40 હજાર છે.
બ્રાહ્મણોનો ઝુકાવ પણ ભાજપતરફ છે. આવી સ્થિતિમાં મતોનું વિભાજન નિશ્ચિત છે. આ મુકાબલો બીએસપી અને ભાજપ વચ્ચેની નજીકની સ્પર્ધા માનવામાં આવી રહી છે.

દાદરી વિધાનસભા સીટ પર એક નજર
દાદરી વિધાનસભામાં ગુર્જરો સૌથી વધુ મતદાતા છે. લગભગ 1 લાખ 50 હજાર ગુર્જર મતદારો છે. બનિયા સમુદાયના 50 હજાર મતદારો છે.
દલિતો 40 હજાર અનેબ્રાહ્મણો પણ લગભગ 40 હજાર મતદારો છે. અહીં ગુર્જર અને દલિત મતદારો નિર્ણાયક સાબિત થાય છે.

જેવર વિધાનસભા સીટ પર એક નજર
અહીં છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીમાં BSP સતત જીતી રહી છે. ગુર્જર અને ઠાકુર મતદારો મોટી સંખ્યામાં છે અને જેવરમાં લગભગ સમાન છે. ઠાકુર અને ગુર્જરમતદારો 1.5 લાખની નજીક છે.
દલિત મતદારો 50 હજાર છે. મુસ્લિમ અને બનીયા મતદારો પણ 40-40 હજારની આસપાસ છે. એવું માનવામાં આવે છે કે ગુર્જર અનેદલિત મતદારોને જે પણ મળશે તેની જીત નિશ્ચિત છે.

જ્ઞાતિ સમીકરણ
- બ્રાહ્મણ : 1.25 લાખ
- યાદવ : 40 હજાર
- ગુર્જર : 30 હજાર
- વૈશ્ય : 1.15 લાખ
- મુસ્લિમ : 65 હજાર
- ઠાકુર : 35 હજાર
- પંજાબી : 80 હજાર
સૌથી મહત્ત્વની વાત એ છે કે, લગભગ 1.80 લાખ મતદારો પૂર્વાંચલ અને બિહારના અને 35 હજાર ઉત્તરાખંડના છે. કોઈપણ પ્રકારનું ધ્રુવીકરણ તમામ મુખ્ય પક્ષોનીવોટબેંકને અસર કરી શકે છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ








Click it and Unblock the Notifications
