ઓફિસર, જેને 2000 ધમકીઓ મળ્યા પછી પણ આસારામ કેસની જાંચ કરી
જોધપુર કોર્ટે આજે આસારામને બાળકી સાથે બળાત્કાર કરવાના મામલે દોષી જાહેર કર્યો છે. આ મામલે લગભગ 5 વર્ષથી આસારામ જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે.
જોધપુર કોર્ટે આજે આસારામને બાળકી સાથે બળાત્કાર કરવાના મામલે દોષી જાહેર કર્યો છે. આ મામલે લગભગ 5 વર્ષથી આસારામ જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે. આસારામ સાથે બીજા બે પણ દોષી જાહેર થયા છે, જયારે બે વ્યક્તિને છોડી મુકવામાં આવ્યા છે. આ આખા મામલે આસારામને જેલ સુધી પહોંચાડવા અને તેના વિરુદ્ધ પુરાવા ભેગા કરવામાં સૌથી અગત્યનો રોલ સિનિયર પોલીસ અધિકારી અજય લાંબા નો હતો. અજય લાંબાએ જયારે આ કેસ હાથમાં લીધો ત્યારે તેમને ઘણી મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. હિન્દુસ્તાન ટાઈમ્સ રિપોર્ટ અનુસાર આ કેસ છોડવા માટે અજય લાંબાને 2000 કરતા પણ વધારે ધમકીઓ મળી હતી. તેમને ધમકી ભરેલા ફોન કોલ અને હજારો ચિઠ્ઠી પણ આવી હતી, જેમાં તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ હતી.

વર્ષ 2013 દરમિયાન લાંબા ને કેસ મળ્યો હતો
લાંબા ને ઓગસ્ટ 2013 દરમિયાન આસારામનો કેસ મળ્યો હતો, ત્યારે તેઓ જોધપુર વેસ્ટમાં ડીસીપી હતા, તેમને જણાવ્યું કે આ કેસમાં તેમને એવી ઘણી વસ્તુઓ જોવા મળી જે પરેશાન કરનાર હતી. જેમાં વારંવાર મળતી ધમકીઓ, સાક્ષીઓની થતી હત્યા, અને મીડિયામાં કેસનું રહેવું પણ શામિલ હતું. તેમને જણાવ્યું કે તેમને ધમકીઓ મળતી હતી કે તેના આખા પરિવારને મારી નાખવામાં આવશે. ફોન પર નવા નવા નંબરથી ધમકીઓ મળતી હતી. આ બધું તેમના ઉદયપુર શિફ્ટ થતા સુધી ચાલ્યું.

દીકરીને સ્કુલ મોકલવાનું બંધ કર્યું
અજયપાલ લાંબા હાલમાં જોધપુર માં એસપી (એન્ટી કરપ્શન બ્યુરો) છે. તેમને જણાવ્યું કે એક સમય એવો પણ આવ્યો હતો જયારે તેઓ તેમના પરિવારને સુરક્ષાને લઈને એટલા પરેશાન હતા કે તેમને પોતાની દીકરીને થોડા દિવસ માટે સ્કુલ મોકલવાનું બંધ કરી દીધું હતું. તેમના જણાવ્યું કે તેમની પત્ની ઘણા દિવસો સુધી ઘરની બહાર જતી ના હતી. તેમને જણાવ્યું કે જાંચના 10 અઠવાડિયામાં તેમને પોતાની પહેલી ચાર્જશીટ દાખલ કરી. લાંબા જણાવે છે કે આ કેસ દરમિયાન કોઈ પણ પ્રકારનો રાજનૈતિક દબાવ તેમના પર ના હતો.

ઇન્દોર થી આસારામની ધરપકડ કરી
લાંબા ઘ્વારા જણાવવામાં આવ્યું કે આસારામની ધરપકડ કરવી એક મોટો પડકાર હતો કારણકે તેનાથી કાનૂન વ્યવસ્થામાં મુસીબત આવી શકે તેવી હતી. પરંતુ રણનીતિ હેઠળ પોલીસે ઇન્દોર થી આસારામ ની ધરપકડ કરી અને પોલીસ રિમાન્ડ પર રાખ્યા પછી તેને જોધપુર સેન્ટ્રલ જેલ મોકલવામાં આવ્યા.

આસારામ પાસે અરબોની સંપત્તિ
આપણે જણાવી દઈએ કે આસારામ પાસે અરબોની સંપત્તિની સાથે સાથે હજારો ભક્તોની ફોઝ પણ છે. જે તેમના નામ પર હિંસા કરવાથી પણ પાછળ નહીં હટતા. તેવામાં આસારામ વિરુદ્ધ રેપ જેવા ગંભીર મામલે જાંચ કરવી, પુરાવા ભેગા કરવા, અદાલત સામે પુરાવા રજુ કરવા, પીડિતાને પણ સુરક્ષાનો ભરોષો અપાવવો સરળ ના હતું. પરંતુ લાંબાએ આ બધું કરીને બતાવ્યું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
