બ્રિટિશ અધિકારીઓએ જણાવ્યુ - અમારા દેશમાં બેઠો છે નીરવ મોદી
બ્રિટિશ અધિકારીઓએ ભારતને સૂચિત કર્યુ છે કે પંજાબ નેશનલ બેંક (પીએનબી) ગોટાળાના આરોપી અને ભાગેડુ નીરવ મોદી બ્રિટનમાં રહી રહ્યો છે.
બ્રિટિશ અધિકારીઓએ ભારતને સૂચિત કર્યુ છે કે પંજાબ નેશનલ બેંક (પીએનબી) ગોટાળાના આરોપી અને ભાગેડુ નીરવ મોદી બ્રિટનમાં રહી રહ્યો છે. વિદેશ રાજ્યમંત્રી વી કે સિંહે રાજ્યસભાને જણાવ્યુ કે નેશનલ સેન્ટ્રલ બ્યુરો ઓફ માનચેસ્ટરે ભારતીય એજન્સીઓને જણાવ્યુ કે તેમની તપાસથી બ્રિટનમાં નીરવ મોદીનું લોકેશન માલુમ પડ્યુ છે. તમને જણાવી દઈએ કે નીરવ મોદી જાન્યુઆરી 2018માં પીએનબી ગોટાળાના ખુલાસા પહેલા જ વિદેશ ભાગી ગયો હતો.

રાજ્યસભામાં બોલતા વી કે સિંહે કહ્યુ કે આ વર્ષે ઓગસ્ટમાં સીબીઆઈ અને ઈડી દ્વારા સરકારે નીરવ મોદીના પ્રત્યાર્પણની અપીલ કરી હતી. જેના પર બ્રિટન સરકાર વિચાર કરી રહી છે. સિંહે કહ્યુ, 'બ્રિટનના અધિકારીઓને નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણ માટે એક સીબીઆઈ દ્વારા અને બીજી ઈડી દ્વારા સરકારે બે રિક્વેસ્ટ મોકલી છે.'
તેમણે કહ્યુ કે આ અનુરોધ વર્તમાનમાં યુકેના સંબંધિત અધિકારીઓ સાથે વિચારાધીન છે. જૂનમાં વિદેશ મંત્રાલય (MEA) એ ઘણા યુરોપીય દેશોને પત્ર લખીને નીરવ મોદીને શોધવામાં મદદ માંગી હતી. પંજાબ નેશનલ બેંકના 11,300 કરોડ રૂપિયાથી વધુની ધાંધલી કરીને ભાગી ગયેલો નીરવ મોદી એજન્સીની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં છે. આ ઉપરાંત નીરવ મોદીના મામા મેહુલ ચોક્સી પણ પંજાબ નેશનલ બેંકમાં ફ્રોડના આરોપી છે જેણે હાલમાં જ એન્ટીગુઆની નાગરિકતા મેળવી લીધી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
