Jagannath Rath Yatra 2022: આજથી શરુ થઈ પુરીમાં જગન્નાથ રથયાત્રા, પીએમ મોદીએ પાઠવી શુભકામના
ભગવાન જગન્નાથની પ્રસિદ્ધ રથયાત્રા આજથી 01મી જુલાઈથી ઓરિસ્સાના પુરીમાં શરૂ થઈ રહી છે.
નવી દિલ્લીઃ ભગવાન જગન્નાથની પ્રસિદ્ધ રથયાત્રા આજથી 01મી જુલાઈથી ઓરિસ્સાના પુરીમાં શરૂ થઈ રહી છે. રથયાત્રા માટેની 'પહંડી' વિધિ શરૂ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે જગન્નાથ રથયાત્રા 01 જુલાઈથી શરૂ થશે અને 12 જુલાઈ સુધી ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દેશવાસીઓને જગન્નાથ રથયાત્રાની શુભકામનાઓ પાઠવી હતી. પીએમ મોદીએ લખ્યું, 'રથયાત્રાના ખાસ દિવસ પર શુભકામના. આપણે ભગવાન જગન્નાથને તેમના નિરંતર આશીર્વાદ માટે પ્રાર્થના કરીએ છીએ. આપણને સહુને સારુ આરોગ્ય અને ખુશીઓ મળે.

કોરોના મહામારી બાદ બે વર્ષના લાંબા અંતરાલ બાદ આજથી જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ રથયાત્રામાં ભક્તોને ભાગ લેવાની છૂટ આપવામાં આવી છે. 12મી જુલાઈ સુધી ચાલનારી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે ત્રણ ભવ્ય રથમાં સવાર થાય છે. જેમાં પહેલો રથ ભગવાન જગન્નાથનો, બીજો ભાઈ બલરામ અને ત્રીજો બહેન સુભદ્રાનો છે. ભગવાન જગન્નાથ દર વર્ષે 3 કિમી લાંબી મુસાફરી કરીને તેમની માસી ગુંડીચાના ઘરે એટલે કે ગુંડીચા મંદિરની મુલાકાત લે છે. અહીં તેઓ 7 દિવસ આરામ કરે છે અને પછી ફરી જગન્નાથ મંદિર પરત ફરે છે. આ રથોને જાડા દોરડા વડે ખેંચવામાં આવે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ભવ્ય યાત્રાની તૈયારીઓ ઘણા મહિનાઓ પહેલાથી શરૂ થઈ જાય છે. દર વર્ષે રથ માટે લાકડા એકત્ર કરવાનું કામ ખાસ મુહૂર્તમાં શરૂ થાય છે. ત્યારબાદ મંદિરના સુથાર રથનુ નિર્માણ કરે છે. એવુ કહેવાય છે કે આ રથમાં ન તો ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે ન તો ખીલીનો. રથના રંગ પ્રમાણે લાકડાની પસંદગી કરવામાં આવે છે. જેમ કે ભગવાન જગન્નાથ માટે ઘેરા રંગના લીમડાના લાકડા અને તેમના ભાઈ-બહેન માટે આછા રંગના લીમડાનુ લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
