PM મોદી આજે નીતિ પંચની બેઠકની કરશે અધ્યક્ષતા, CM અમરિંદર, મમતા બેનર્જી નહિ થાય શામેલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (શનિવાર 20 ફેબ્રુઆરી) નીતિ પંચની ગવર્નિંગ કાઉન્સિલની છઠ્ઠી બેઠકની અધ્યક્ષતા કરશે.
PM Narendra Modi to chair meeting of NITI Aayog: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (શનિવાર 20 ફેબ્રુઆરી) નીતિ પંચની ગવર્નિંગ કાઉન્સિલની છઠ્ઠી બેઠકની અધ્યક્ષતા કરશે. પીએમ મોદી આ બેઠકમાં વીડિયો કૉ્ફરન્સિંગ દ્વારા શામેલ થશે. પ્રધાનમંત્રી કાર્યાલય(PMO)ના જણાવ્યા અનુસાર બેઠકમાં એજન્ડામાં કૃષિ, માળખાગત સુવિધા, વિનિર્માણ, માનવ સંશાધન વિકાસ, જમીની સ્તર સેવા વિતરણ અને આરોગ્ય અને પોષણ પર ચર્ચા-વિચારણા શામેલ છે. પીએમઓએ કહ્યુ છે કે આમાં પીએમ મોદી ઉપરાંત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો(યુટી)ના ધારાસભ્ય, અન્ય સંઘશાસિત પ્રદેશોના ધારાસભ્ય અને લેફ્ટનન્ટ ગવર્નર શામેલ છે. આ છઠ્ઠી બેઠકમાં પહેલી વાર લદ્દાખની પણ એન્ટ્રી થવાની છે.

બેઠકમાં નહિ શામેલ થાય સીએમ અમરિંદર સિંહ, મમતા બેનર્જી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થનારી નીતિ પંચની બેઠકમાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી શામેલ નહિ થાય. પીટીઆઈ-ભાષા મુજબ કેપ્ટન અમરિંદર સિંહ અસ્વસ્થ છે. તેમની જગ્યાએ બેઠકમાં રાજ્ય નાણામંત્રી મનપ્રીત સિંહ ભાગ લઈ શકે છે. સૂત્રોએ જણાવ્યુ કે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અસ્વસ્થ છે અને તેમના નીતિ પંચની બેઠકમાં નહિ આવવાની સંભાવના છે.
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પણ આ બેઠકમાં શામેલ નહિ થાય. તૃણમૂલ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યુ છે કે મમતા બેનર્જી 20 ફેબ્રુઆરીએ થનારા નીતિ પંચની બેઠકમાં શામેલ નહિ થાય. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ મમતા બેનર્જી નીતિ પંચની બેઠકોમાં શામેલ નહોતા થયા. મમતા બેનર્જીનુ કહેવુ છે કે નીતિ પંચ પાસે કોઈ નાણાકીય શક્તિઓ નથી અને તે રાજ્યની યોજનાઓમાં કોઈ મદદ નથી કરી શકતુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
