કેદારનાથ પહોંચેલ PM મોદીની નમ્રતા પર ઓવારી ગયા લોકો
કોઇ પણ કાર્યક્રમ હોય, નાનો કે મોટો, દેશના નેતાઓને હંમેશા વીઆઇપી ટ્રીટમેન્ટ આપવી પડે છે. એવામાં કેદારનાથમાં પીએમ મોદીએ અલગ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ દેશમાં વીઆઇપી કલ્ચર પૂરું કરવાના અભિયાન પર છે. દેશના મોટા ભાગના નેતાઓને વીઆઇપી ટ્રીટમેન્ટની આદત હોય છે. જેટલું ઊંચુ પદ, એટલી વધુ સ્પેશિલ ટ્રીટમેન્ટ. એવામાં કેદારનાથ પહોંચેલા નરેન્દ્ર મોદીએ અલગ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કેદારધામમાં દર્શન કરવા પહોંચેલ પીએમ મોદીએ જે કર્યું, એ અન્ય નેતાઓ માટે એક પાઠ સમાન છે.

વીઆઇપી ટ્રીટમેન્ટની મનાઇ
બુધવારે સવારે લગભગ 9 વાગ્યે વડાપ્રધાન મોદી કેદારનાથ ધામ પહોંચ્યા હતા. મંદિરમાં પ્રવેશતાં પહેલાં જ્યારે તેઓ પોતાના જૂતા ઉતારવા થોભ્યા, તો એક કર્મચારી પીએમ મોદીના જૂતા ઉતારવા માટે આગળ વધ્યો. પીએમ મોદીએ ખૂબ નમ્રતાથી હસીને તે કર્મચારીને આમ કરવાની ના પાડી અને જાતે પોતાના જૂતા ઉતાર્યા. આ આખી ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ છે.

6 મહિના બાદ ખુલ્યા કેદારનાથના કપાટ
આ પહેલાં બુધવારે રીત-રિવાજો અનુસાર શુભ મૂહર્તમાં ભગવાન કેદારનાથ ધામના કપાટ ખોલાવામાં આવ્યા હતા. કપાટ ખુલતાં સૌ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂજા-અર્ચના કરી હતી. દેશના 12 જ્યોતિર્લિંગોમાંના એક કેદારનાથના કપાટ બુધવારે 6 મહિના બાદ ખોલવામાં આવ્યા. છેલ્લા 27 વર્ષોમાં પહેલીવાર કોઇ વડાપ્રધાન કેદારનાથ ધામ પહોંચ્યા હતા. આ પહેલાં વડાપ્રધાન તરીકે વી.પી.સિંહ અને ઇન્દિરા ગાંધી કેદારનાથ ધામની મુલાકાત લઇ ચૂક્યાં છે.

પીએમ મોદીને રાષ્ટ્ર ઋષિની ઉપાધિ
કેદારનાથ ધામમાં પૂજા કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હરિદ્વારમાં પતંજલિ રિસર્ચ સેન્ટરનું ઉદઘાટન કરવા પહોંચ્યા હતા. આ પ્રસંગે બાબા રામદેવે પીએમ મોદીને રાષ્ટ્ર ઋષિની ઉપાધિ આપી હતી. રામદેવે કહ્યું કે, પીએમ રાષ્ટ્રનું ગૌરવ છે, જેમાં રાષ્ટ્રના સવા સો કરોડ લોકો પોતાનું સ્વરૂપ જુએ છે. ગામ, શહેર કે ભારતનો અમીર કે ગરીબ વ્યક્તિ પણ પીએમની અંદર પોતાનું પ્રતિબિંબ અને રૂપ જુએ છે. રામદેવે પીએમ મોદીને ભગવાનના વરદાન સમાન ગણાવ્યા હતા.

બાબાએ આપ્યું સરપ્રાઇઝ
પીએમ મોદીને રાષ્ટ્ર ઋષિની ઉપાધિ મળતાં તેમણે કહ્યું કે, મને ખબર નહોતી, બાબાએ સરપ્રાઇઝ આપી દીધું. બાબાએ ખૂબ લાગણી સાથે મને વિશેષ સન્માન આપ્યું છે, હું પતંજલિનો આભાર માનું છું. આ સન્માનથી એક વાત સ્પષ્ટ થાય છે કે, તમારી પાસે લોકોને જે અપેક્ષા છે, તે પૂરી કરો અને તમારું ધ્યાન સહેજ પણ ભટકવા ન દો.

અહીં વાંચો
આધાર કાર્ડને લઇને કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટમાં શું ચર્ચા થઇ વિગતવાર જાણો અહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
