સરકારનું 2022 સુધી બધાને પોતાનું ઘર આપવાનું લક્ષ્યઃ શિરડીમાં બોલ્યા પીએમ મોદી
સરકારે 2022 સુધી દેશના દરેક બેઘર ગરીબ પરિવારને પોતાનું ઘર આપવાનું લક્ષ્ય રાખ્યુ છે
મહારાષ્ટ્રના શિરડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે સરકારે દરેક વર્ગના લોકોને ગયા ચાર વર્ષોથી ઝુગ્ગીથી, ભાડાના મકાનમાંથી નીકળી પોતાનું ઘર આપવાના ગંભીર પ્રયત્નો કર્યા છે. સરકારે 2022 સુધી દેશના દરેક બેઘર ગરીબ પરિવારને પોતાનું ઘર આપવાનું લક્ષ્ય રાખ્યુ છે અને લગભગ અડધો રસ્તો પાર કરી લીધો છે. મોદીએ કહ્યુ, 'મને ખુશી છે કે દશેરાના આ પવિત્ર અવસર પર મને મહારાષ્ટ્રના અઢી લાખ બહેનો-ભાઈઓને પોતાનું ઘર સોંપવાનો અવસર મળ્યો છે. મારા તે ભાઈ બહેન જેમના માટે પોતાનું ઘર હંમેશાથી એક સપનુ રહ્યુ છે. ' શિરડીમાં મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મકાનોની ચાવી સોંપ્યા બાદ જનસભાને સંબોધિત કરતા મોદીએ આ વાત કરી.

પહેલા કામ ઓછુ અને એક પરિવારના નામનો પ્રચાર વધુ થતો હતોઃ મોદી
મોદીએ અહીં કહ્યુ, ‘કોશિશો પહેલા પણ થઈ છે પરંતુ દૂર્ભાગ્યથી તેમનું લક્ષ્ય ગરીબોને ઘર આપીને સશક્ત કરવાના બદલે એક વિશેષ પરિવારના નામે પ્રચાર કરવાનું વધુ રહ્યુ છે. ઘર સારુ હોય, તેમાં શૌચાલય હોય, વિજળી હોય, પાણી હોય, ગેસનું કનેક્શન હોય તેના પર પહેલા ઓછુ ધ્યાન આપવામાં આવ્યુ. ગઈ સરકારે ચાર વર્ષમાં કુલ 25 લાખ ઘર બનાવ્યા હતા જ્યારે અમે ચાર વર્ષમાં 1 કરોડ 25 લાખ ઘર બનાવ્યા છે.'

પાણીના સંકટમાંથી બહાર આવવાનું કામ થઈ રહ્યુ છે
પીએમ મોદીએ કહ્યુ કે પાણીના સંકટના દેશના ખેડૂતોને બહાર કાઢવા માટે સરકાર પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ વર્ષોથી અટકેલી પરિયોજનાઓને પૂરુ કરવાનું કામ કરી રહી છે. જે હેઠળ મહારાષ્ટ્રમાં પણ અનેક મોટી પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યુ છે.

સાઈબાબાના મંદિર પહોંચ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે શિરડી પહોંચ્યા છે. શિરડીના સાઈબાબાના શતાબ્દી વર્ષ સમારંભના સમાપનના અવસર પર મોદી અહીં પહોંચ્યા છે. કહેવાય છે કે દશેરાના દિવસે સાંઈએ સમાધિ લીધી હતી જેને 100 વર્ષ થઈ ગયા છે. પીએમ મોદી શુક્રવારે સવારે સાંઈબાબાના મંદિરમાં પહોંચ્યા. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યપાલ વિદ્યાસાગર રાવ પણ હાજર રહ્યા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
