આદર્શ ગ્રામ માટે PM નરેન્દ્ર મોદીના આદર્શ મંત્ર
નવી દિલ્હી, 11 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાની સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'આદર્શ ગ્રામ યોજના'નો શુભારંભ કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ કાર્યક્રમ દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં ચાલી રહ્યો છે. આ યોજના હેઠળ સાંસદ વર્ષ 2019 સુધી ત્રણ ગામમાં પાયાની તથા માળખાકીય તથા સંસ્થાગત માળખું વિકસિત કરવાની જવાબદારી ઉઠાવશે એટલે 2019 સુધી દરેક સસંદીય ક્ષેત્રમાં ત્રણ આદર્શ ગામ બનાવવાનો લક્ષ્ય રાખ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે રોહનિયાં વિધાનસભાના કકરહિયા ગામને ખોળે લીધું છે. આ સમાચાર ફ્લેશ થતાં જ ગામના તૂટેલા રોડને બનાવવામાં આવી રહ્યાં છે અને આખા ગામમાં યુદ્ધના ધોરણે સફાઇ અભિયાન ચાલી રહ્યું છે. વારાણસીથી લગભગ 22 કિલોમીટર દૂર રોહનિયાના કકરહિયા ગામ વડાપ્રધાનના સંસદીય ક્ષેત્રના અંતગર્ત આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગષ્ટના રોજ પોતાના ભાષણમાં બધા સાંસદ અને ધારાસભ્યોને પોત-પોતાના વિસ્તારમાં આદર્શ ગામ વિકસિત કરવાની અપીલ કરી હતી. આદર્શ ગ્રામ યોજના હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 ઓક્ટોબરના રોજ પોતાના સંસદીય વિસ્તાર બનારસ જવાના છે. નરેન્દ્ર મોદી અહીં સૌથી પહેલાં પીએમબીએચયૂના ટ્રામાં સેન્ટરનું ઉદઘાટન કરશે. આ દરમિયાન નરેન્દ્ર મોદી અહીં વણકરો માટે મોટા પ્રોજેક્ટની જાહેરાત કરવાના છે.

નરેન્દ્ર મોદીના આદર્શ મંત્ર
- યોજના હેઠળ બધા સાંસદ 2019 સુધી પોતાના ક્ષેત્રોનો વિકાસ કરશે.

મોદીના આદર્શ મંત્ર
- સાંસદોને રહેશે પોતાના ગામ પસંદ કરવાની આઝાદી, પરંતુ પોતાનું ગામ કે સાસરી નહી.

મોદીના આદર્શ મંત્ર
- ધારાસભ્ય પણ બનાવશે આદર્શ ગામ, સૌના સાથથી થશે બધાનો વિકાસ

મોદીના આદર્શ મંત્ર
- સાંસદ આદર્શ ગ્રામ યોજના રચનાત્મક રાજકારણની મુકશે ઇંટ.

મોદીના આદર્શ મંત્ર
- સાંસદ કોઇપણ પાર્ટીનો હોય, બધાનું લક્ષ્ય એક- વિકાસ

મોદીના આદર્શ મંત્ર
- સક્રિય ગ્રામ સભાઓથી દરેક ગામની સમીક્ષા, દર મહિને થશે સમીક્ષા

મોદીના આદર્શ મંત્ર
- બાળ મૃત્યું દર, માતૃ મૃત્યું દરમાં થશે ચોક્કસ ઘટાડો

મોદીના આદર્શ મંત્ર
- દેશના દરેક રાજ્યમાં કેટલા ગામ એવા જેના પર ગર્વ કરી શકાય.

મોદીના આદર્શ મંત્ર
- જન ભાગીદારીથી જ વિકાસ થાય છે સંભવ, મૂળભૂત સુવિધાઓનો થશે વિકાસ.

મોદીના આદર્શ મંત્ર
- આઝાદી બાદ દરેક સરકારે ગ્રામ વિકાસની પહેલ કરી જે ચાલુ રહેશે.

મોદીના આદર્શ મંત્ર
- યોજનાઓ હંમેશા બધા માટે હોય છે, પરંતુ કેટલાક ગામે જ પ્રગતિ કરી.

મોદીના આદર્શ મંત્ર
- દરેક ગામનો ઉજવવામાં આવશે જન્મ દિવસ, ઉત્સવની માફક થશે જશ્ન

મોદીના આદર્શ મંત્ર
- સરકાર દ્વારા નહી સમાજ દ્વારા થશે વિકાસ

મોદીના આદર્શ મંત્ર
- આપૂર્તિ આધારિત નહી, માંગ આધારિત થશે વિકાસ

શું છે આ યોજના
આ યોજના હેઠળ સાંસદ વર્ષ 2019 સુધી ત્રણ ગામમાં પાયાની તથા માળખાકીય તથા સંસ્થાગત માળખું વિકસિત કરવાની જવાબદારી ઉઠાવશે એટલે 2019 સુધી દરેક સસંદીય ક્ષેત્રમાં ત્રણ આદર્શ ગામ બનાવવાનો લક્ષ્ય રાખ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે રોહનિયાં વિધાનસભાના કકરહિયા ગામને ખોળે લીધું છે. આ સમાચાર ફ્લેશ થતાં જ ગામના તૂટેલા રોડને બનાવવામાં આવી રહ્યાં છે અને આખા ગામમાં યુદ્ધના ધોરણે સફાઇ અભિયાન ચાલી રહ્યું છે. વારાણસીથી લગભગ 22 કિલોમીટર દૂર રોહનિયાના કકરહિયા ગામ વડાપ્રધાનના સંસદીય ક્ષેત્રના અંતગર્ત આવે છે.

14 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન જશે વારાણસી
અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ 15 ઓગષ્ટના રોજ પોતાના ભાષણમાં સાંસદ અને ધારાસભ્યોને પોત-પોતાના વિસ્તારમાં આદર્શ ગામ વિકસિત કરવાની અપીલ કરી હતી. આદર્શ ગ્રામ યોજના હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 ઓક્ટોબરના રોજ પોતાના સંસદીય વિસ્તાર બનારસ પણ જવાના છે. નરેન્દ્ર મોદીએ સૌથી પહેલાં પીએમબીએચના ટ્રામા સેન્ટરનું ઉદઘાટન કરશે. આ દરમિયાન નરેન્દ્ર મોદી અહીંના વણકરો માટે કોઇ મોટા પ્રોજેક્ટની જાહેરાત કરવાના છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
