મન કી બાતમાં મોદી: ‘આ દિવાળી સેનાના જવાનોને સમર્પિત’
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફરી એકવાર ‘મન કી બાત’ ના 25 માં પ્રસારણમાં દેશવાસીઓને સંબોધિત કર્યા...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફરી એકવાર 'મન કી બાત' ના 25 માં પ્રસારણમાં દેશવાસીઓને સંબોધિત કર્યા. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં સૌથી પહેલા દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી. પીએમ મોદીએ દેશની સુરક્ષા માટે સરહદ પર તૈનાત જવાનોના મનોબળ પર પણ પોતાનો વિચાર રજૂ કર્યો. તમને જણાવી દઇએ કે પ્રધાનમંત્રી દર મહિનાના છેલ્લા રવિવારે 'મન કી બાત' કાર્યક્રમના માધ્યમથી દેશવાસીઓને સંબોધિત કરે છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી અલગ અલગ મુદ્દાઓ પર દેશવાસીઓ સાથે વાત કરે છે.

દેશને શું કહ્યું પીએમ મોદીએ જાણો...
પીએમ મોદીએ આ દિવાળી સેનાના જવાનોને સમર્પિત કરી.
#Sandesh2Soldiers થી દેશવાસીઓએ જવાનોને સંદેશ મોકલ્યા. એક સંદેશથી સામર્થ્ય વધી જાય છે અને દેશે તે કરી બતાવ્યુ.
સેનાના જવાન માત્ર સીમા પર નહિ, પરંતુ જીવનના દરેક ક્ષેત્રે રાષ્ટ્ર ભાવનાથી પ્રેરિત થઇને કામ કરે છે. આઇટીબીપી જવાન વિકાસ ઠાકુરે 57,000 રુપિયા પંચાયત પ્રધાનને આપી દીધા અને કહ્યુ કે જે 57 ઘરોમાં શૌચાલય નથી બન્યા ત્યાં શૌચાલય બનાવી દો. હું હરિયાણા પ્રદેશને અભિનંદન આપવા માંગુ છુ કારણકે તેમણે એક બીડુ ઝડપ્યુ છે કે હરિયાણા પ્રદેશને કેરોસિનથી મુક્ત કરીશુ.
ગાંધીજી કહેતા હતા કે જ્યારે પણ યોજના બનાવો ત્યારે સૌથી પહેલા ગરીબનો ચહેરો યાદ કરો પછી નક્કી કરો કે જે કરવા જઇ રહ્યા છો તેનાથી ગરીબને લાભ થશે કે નહિ.
આપણી જૂની વિચારસરણી ભલે ગમે તે હોય પરંતુ સમાજને દીકરા-દીકરીના ભેદમાંથી મુક્ત કરવો પડશે.
સરકાર તરફથી ટીકાકરણ તો થાય જ છે પરંતુ તો પણ લાખો બાળકો ટીકાકરણનો લાભ લેતા નથી. જે લોકો લાકડા પર ચૂલો સળગાવીને રસોઇ કરે છે તેવા 5 કરોડ પરિવારોને ધૂમાડાથી મુક્ત જિંદગી આપવાની કોશિશ ચાલુ છે.
31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મજયંતિ પર્વ છે, સાથે જ શ્રીમતી ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પણ છે.
મીડિયાએ પણ આ દીપોત્સને સેના પ્રત્યે આભાર વ્યક્ત કરવાના અવસરમાં પલટી દીધો છે.
આપણા જવાન કેવા કેવા દુખ સહન કરે છે. આપણે જ્યારે દિવાળી મનાવી રહ્યા છે ત્યારે કોઇ રણમાં ઉભુ છે તો કોઇ હિમાલયની ચોટી પર.
દરેક દેશવાસીના દિલમાં જવાનો પ્રત્યે પ્રેમ અને ગૌરવ છે. જે પ્રકારે તેની અભિવ્યક્તિ થઇ છે તે દરેક દેશવાસીને તાકાત આપનારી છે.
આ દિવાળી સુરક્ષાબળોના નામ પર સમર્પિત છે.
પ્રકાશનું આ પર્વ દિવાળી વિશ્વ સમુદાયને પણ અંધકારથી પ્રકાશ તરફ લઇ જવાનો એક પ્રેરણા ઉત્સવ બની રહ્યો છે.
દિવાળી સ્વચ્છતાનું આભિયાન પણ છે. સમયની માંગ છે કે આખા પરિસરની સફાઇ કરો, આખા ગામની સફાઇ કરો અને આ પરંપરાને વિસ્તૃત કરવાની છે.
આજકાલ આપણે રવિવારે રજા માણીએ છીએ, પરંતુ સદીઓથી આપણે ત્યાં પૂર્ણિમા અને અમાસે રજા માણવાની પરંપરા હતી.
દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ આપી. દેશવાસીઓને ઉત્સાહ સાથે દિવાળી મનાવવાની અપીલ કરી. આપણા દેશમાં 365 દિવસ ઉત્સવ હોય છે. આપણો દરેક પર્વ શિક્ષાનો સંદેશ આપે છે.
ભારતીય જનજીવનમાં ઉત્સવનું બીજુ નામ દિવાળી છે. દિવાળી પર સ્વચ્છતા અભિયાન થાય છે. વિદેશોમાં પણ દિવાળીની ધૂમ છે. સિંગાપુરના સાંસદોએ પણ દિવાળી મનાવી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
