કેદારનાથમાં PM:મારા મદદના પ્રસ્તાવથી કોંગ્રેસને ચિંતા થઇ હતી
બેસતા વર્ષના રોજ સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિરે દર્શન કર્યા હતા.
જમ્મુ-કાશ્મીરમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કર્યા બાદ ગુરૂવારે બેસતા વર્ષને દિવસે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના કેદારનાથ મંદિર પહોંચ્યા હતા. તેમણે અહીં ભગવાન કેદારનાથી પૂજા-અર્ચના કરી હતી, લગભગ અડધા કલાક સુધી મંત્રોચ્ચારણ સાથે પૂજા કર્યા બાદ બાબા કેદારનાથનો રૂદ્રાભિષેક કર્યો હતો. ત્યાર બાદ તેમણે બાબા કેદારનાથની પ્રદક્ષિણા કરી હતી. પીએમ મોદીએ એ ભીમ શિલાના પણ દર્શન કર્યા હતા, જેના કારણે કેદારનાથ ધામ જળ-પ્રલયથી બચી ગયું હતું.

જનસેવા એ જ પ્રભુસેવા
પીએમ મોદીએ ઉત્તરાખંડમાં પાંચ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો. ત્યાર બાદ સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે, તેઓ પોતાનું જીવન બાબા કેદારનાથના ચરણોમાં જ વિતાવવા માંગતા હતા, પરંતુ બાબાની ઇચ્છા કંઇ બીજી હતી. હવે મારા માટે સવા સો કરોડ દેશવાસીઓની સેવા એ જ બાબા કેદારનાથની સેવા છે.

મારી મદદથી કોંગ્રેસ ચિંતામાં
પીએમ મોદીએ આગળ કહ્યું હતું કે, જ્યારે કેદારનાથ-બદ્રીનાથમાં જળ-પ્રલય આવ્યો ત્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો. એ સમયની કોંગ્રેસ રાજ્ય સરકારને મેં કહ્યું હતું કે, કેદારનાથના પુનઃનિર્માણમાં ગુજરાત સરકાર પણ સહયોગ કરવા માંગે છે. તે સમયે તો રાજ્ય સરકારે મદદ સ્વીકારવા માટે હામી ભરી હતr, પરંતુ આ ખબર દિલ્હી કોંગ્રેસ સરકાર સુધી પહોંચી, તો એ લોકો ચિંતાતુર થઇ ગયા. ત્યાર બાદ તુરંત ઉત્તરાખંડની તે સમયની રાજ્ય સરકારે નિવેદન આપ્યું હતું કે, તેમને ગુજરાત સરકારની મદદની જરૂર નથી.
પહાડની યુવાની અને પાણી બંને કામ આવશે
પીએમ મોદીએ આગળ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર કેદારનાથ ધામમાં પુજારિયો માટે વધુ સારા નિવાસ સ્થાનો પૂરા પાડશે. વિકાસની યોજનાઓ હેઠળ કેદારનાથ ધામ સુધી જતા રસ્તાઓ પહોળા કરવામાં આવશે. ઉત્તરાખંડમાં એક કહેવત છે કે, પહાડની યુવાની અને પહાડનું પાણી પહાડને કામમાં નથી આવતા. કેન્દ્ર સરકારને આ કહેવતને બદલવાની દિશામાં કામ કરી રહી છે.
જનસેવામાં કાર્યરત કેન્દ્ર સરકાર
પીએમ મોદીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર સતત જનસેવાના કાર્યોમાં લાગેલી રહે છે. ધુમાડા વચ્ચે ભોજન રાંધતી એનક મહિલાઓના ઘરે ઉજ્જવલા યોજના હેઠળ કેન્દ્ર સરકારે ગેસ કનેક્શન પહોંચાડ્યા છે. સ્વચ્છ ભારતના અભિયાન હેઠળ શૌચાલયની યોજનાને પણ જનતાનું ભરપૂર સમર્થન મળી રહ્યું છે. સરકારનું દરેક કાર્ય દેશની જનતા માટે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
