દેશવાસીઓનો મૂડ સર્વેમાં બહાર આવ્યો, કહ્યું બહુ થઇ વાતો...
ઉરીમાં આર્મી બેઝ પર થયેલા આતંકી હુમલા પછી દેશભરમાં અવાજ ઉઠી રહ્યો છે કે હવે બહુ થઇ વાતો હવે કંઇક કરવાનો સમય આવ્યો છે. આમ પણ આપણે ત્યાં આવા હુમલા થયા પછી શ્રદ્ધાંજલિ, સહાયની જાહેરાત અને સામ-સામા આક્ષેપો કરી ચૂપ બેસી જવાય છે. ત્યારે પેવ (Pew) રિસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં બહાર આવ્યું છે કે દેશની 62 ટકા આબાદી માને છે કે સેનાની મદદથી આંતકવાદનો ખાતમો કરી શકાય છે.
સર્વે મુજબ લગભગ 63 ટકા લોકો માને છે કે સેના પર કરવામાં આવતા ખર્ચાને વધારવો જોઇએ. જો કે લગભગ બે તૃતીયાંશ લોકો સરકારના કામ અને દેશની પરિસ્થિતિથી ખુશ છે. તો 10 માંથી આઠ લોકોનું કહેવું છે કે દેશની અર્થવ્યવસ્થામાં સુધાર આવ્યો છે.
મોદીની પાકિસ્તાન પોલિસીનો વિરોધ

જો કે આ સર્વે મુજબ પીએમ મોદીની પાકિસ્તાન પોલિસી અંગે લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. મોટા પ્રમાણમાં ભારતીયો માની રહ્યા છે કે લશ્કરી કાર્યવાહી કરીને આતંકવાદનો ખાતમો બોલાવી શકાય છે.
મોદી હજી પણ છે ટોપ પર!

જો કે વિપક્ષથી લઇને પાક સાથે ભીંસને જોતા પણ લોકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેવરેટ છે. તેમનો જાદુ હજી ઓછા નથી થયો. સર્વે મુજબ તેમની લોકપ્રિયતા 81 ટકા છે. અને વર્ષ 2015માં 87 ટકા. ગ્લોબલ ઇકોનોમિક એટીટ્યૂડસના ડાયરેક્ટર બ્રૂસ સ્ટોક્સના કહેવા મુજબ આ આંકડા સારા છે. અને તેમણે કહ્યું કે મોદી, ઓબામા અને જર્મનીની એન્જેલા મોર્કેલથી પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે. અને આ માટે પીએમ મોદીએ તેમની પાકિસ્તાની નીતિ બદલવી રહી.
બીજેપીનો ગ્રાફ

આંકડા મુજબ સાલ 2015 અને 2016 બન્નેમાં મોદીના સૌથી ઓછા અપ્રઅલ રેટિંગ (53 ટકા) સાંપ્રદાયિક વિષયોને લઇને રહ્યા છે. એટલે કે આ મુદ્દાઓ પર બીજેપીને 65 ટકા લોકો સપોર્ટ કર્યો છે. અને વિપક્ષની વાતોમાં ખાલી 40 ટકા લોકો જ આવ્યા છે. જનતાની વચ્ચે બીજેપીનો ગ્રાફ જે 2015માં 10 પોઇન્ટ હતો તે વધીને હવે 25 પોઇન્ટ થઇ ગયો છે.
લોકોના મતે મોદી છે "સારા"!

મોદીના નેતૃત્વને આ સર્વેમાં લોકોએ વખાણ્યો છે અને 56 ટકા લોકોનું માનવું છે કે "મોદી જે બોલે છે તે કરીને બતાવે છે" સાથે જ 49 ટકા લોકોનું કહેવું છે કે મોદી બધાને સાથે લઇને કામ કરે છે.
કોંગ્રેસને ટકો!

સર્વેમાં કોંગ્રેસને જબરદસ્ત ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ કરતા મોદીને લોકોએ વધુ નંબર આપ્યા છે. ભષ્ટ્રાચારના વિરુદ્ધ લડાઇમાં લોકો 35 ટકા, બેરોજગારી મામલે 28 ટકા અંક આપ્યા છે. અને ગરીબોની મદદ મામલે કોંગ્રેસને 27 ટકા અંક મળ્યા છે.
સાંપ્રદાયિકતા એક સમસ્યા

સર્વેમાં 54 ટકા લોકોનું માનવું છે કે દેશમાં સાંપ્રદાયિકતા એક મોટી સમસ્યા છે. અને 52 ટકા લોકોનું કહેવું છે કે ઇસ્લામિક સ્ટેટ ભારત માટે મોટો ખતરો બની શકે છે.
ભારત અને સમસ્યા

સર્વે મુજબ 82 ટકા લોકોએ ભારતમાં થઇ રહેલા અપરાધ, 81 ટકા લોકોએ રોજગારને અને 80 ટકા લોકોએ ભષ્ટ્ર અધિકારીઓને તથા 78 ટકા લોકોએ આતંકવાદને ભારત સામેની સૌથી મોટી સમસ્યા ગણાવી છે.
બીજેપી માટે વિચારશરણી બદલાઇ

બીજેપી વાત કરીએ તો ગત વર્ષે બીજેપીને 65 ટકાના હિસાબે સારી એવી રેટિંગ લોકો દ્વારા આપવામાં આવી છે. અને વર્ષે અન્ય તમામ પાર્ટીઓ કરતા બીજેપી આગળ છે. તેને 53 ટકા લોકોનો સાથ મળ્યો છે. અને લોકો તેના કામથી ખુશ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
