કોરોના પર પીએમ સાથેની મીટિંગ બાદ અરુણાચલ પ્રદેશના સીએમનો દાવો, 15મીએ લોકડાઉન ખતમ પણ પ્રતિબંધો યથાવત
કોરોના પર પીએમ સાથેની મીટિંગ બાદ અરુણાચલ પ્રદેશના સીએમનો દાવો, 15મીએ લોકડાઉન ખતમ પણ પ્રતિબંધો યથાવત
દેશમાં સતત પગપસારો કરી રહેલ કોરોના વાયરસના સંક્રમણ વિરુદ્ધ રણનીતિ બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી. આ બેઠક બાદ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂએ ટ્વીટ કરીને દાવો કર્યો કે 15 એપ્રિલે લૉકડાઉન સમાપ્ત થશે, પરંતુ એનો એવો મતલબ નથી કે તમે રસ્તાઓ પર અવર જવર કરવા માટે સ્વતંત્ર છો. કોવિડ- 19થી લડવાની એકમાત્ર રીત લૉકડાઉન અને સામાજિક દૂરી છે.

પેમા ખાંડૂએ કહ્યું કે હજી યુદ્ધ શરૂ થયું છે. આપણે કોઈ વિવાદ કે ભૂલ નથી કરવી. 24 કલાક આપણે સતર્ક રહેવું જોઈએ અને એકજુટ થઈ આપણે કોવિડ 19ના પ્રકોપને હરાવવા માટે લડવું પડશે. તેમણે વધુ એક ટ્વીટમાં કહ્યું કે આ એક એવી લડાઈ છે, જેને આપણે બધાએ લડવી જોઈએ. આ એક યુદ્ધ છે જેને માત્ર સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ, પોલીસકર્મીઓ અથવા સરકાર પર ના છોડી શકાય. આ સમય અલગ અલગ વિચારધારાઓના લોકોને માનવ જાતિના દુશ્મનોને હરાવવા માટે એકજુટ થઈ લડવાનો છે.
Chief Minister of Arunachal Pradesh Pema Khandu tweets after the video conference meeting of Chief Ministers with Prime Minister Narendra Modi. #CoronaLockdown pic.twitter.com/yOr8iMaX5p
— ANI (@ANI) April 2, 2020
તેમણે કહ્યું કે, 21 દિવસનું લૉકડાઉન બેકાર ના જવું જોઈએ. લૉકડાઉન બાદ પણ કોરોના નિયંત્રણ સુરક્ષા ઉપાયોનું પાલન કરો જેમ કે માસ્ક પહેરવું, સ્વચ્છતા, સામાજિક દૂરી બનાવી રાખવી વગેરે. જવાબદારી હોવી જ આપણને બચાવશે.
દેશમાં કરોના વાયરસની સ્થિતિ પર વીડિયો કોન્ફરન્સ દ્વારા થયેલ આ બેઠકમાં પીએમ મોદી સાથે ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા. જણાવવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં કોરોના સંકટથી ઉપજેલ હાલની સ્થિતિ, વિવિધ રાજ્યોમાં ફસાયેલ પ્રવાસી મજૂરો માટે ચલાવવામાં આવી રહેલ રાહત કાર્યોની સાથોસાથ તબલીગી જમાતના લોકોના વિવિધ રાજ્યોમાં જવાથી ઉત્પન્ન થયેલ ખતરા પર પણ ચર્ચા થઈ છે.
લૉકડાઉન બાદ દેશા મુખ્યમંત્રીઓ સાથે પીએમની આ પહેલી બેઠક છે. અગાઉ 22 માર્ચે લગાવવામાં આવેલ જનતા કર્ફ્યૂથી બે દિવસ પહેલા 20 માર્ચે પીએમ મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરેન્સિંગ કરી હતી. તે સમયે તેમણે કોરોનાના વૈશ્વિક ખતરા પ્રત્યે મુખ્યમંત્રીને સચેત કરતા કહ્યું હતું કે આખા દેશે એકજુટ થઈ લડવાની જરૂરત છે. 24 માર્ચે આખા દેશમાં લૉકડાઉન કરવામા આવ્યું હતું જે બાદથી જ રાજ્યોના પ્રવાસી મજૂરોને લઈ કેટલાય પ્રકારની સમસ્યા સામે આવી હતી.
જો કે આ દરમિયાન કેબિનેટ સચિવ અને ગૃહ સચિવ રાજ્યોના સચિવ અને ડીજીપી સાથે સતત વાતચીત કરી હાલાતની સમીક્ષા કરી રહયા છે. કોરોના વિરુદ્ધ રાજનૈતિક નેતૃત્વની એકજુટતા વધુ જરૂરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
