રામ જેઠમલાણી: મોદીએ દેશને દગો દીધો, તમને શું લાગે છે?
ફરી એકવખત દેશના સૌથી ચર્ચિત વકીલોમાંના એક રામ જેઠમલાણી સમાચારોમાં ચર્ચાઇ રહ્યાં છે, અને કારણ છે દેશના વડાપ્રધાન મોદી અને નાણાં મંત્રી અરૂણ જેટલી. મહત્વપૂર્ણ છેકે લોકસભા ચૂંટણીમાં રામ જેઠમલાણી મોદીને સપોર્ટ કરી ચૂક્યાં છે, અને હવે રામ જેઠમલાણીને અફસોસ થઇ રહ્યો છેકે શા માટે તેમણે મોદીને સપોર્ટ કર્યો? અને એટલે તેઓ હવે લોકોને અપીલ કરી રહ્યાં છેકે બિહારમાં તેઓ ભાજપને નહીં પણ નીતિશ કુમારને જીતાડે.
જણાવી દઇએ કે હંમેશા તરકશ તીરંદાજી વાળા નિવેદનોને લઇને લોકોના નિશાના પર રહેવાવાળા રામ જેઠમલાણીએ રવિવારે ભૂતપૂર્વ સૈનિકોના એક કાર્યક્રમમાં કહ્યું કે તેઓ વકીલ થઇને પણ પીએમ મોદી અને નાણાંપ્રધાન અરૂણ જેટલીની વાતોમાં આવી ગયા હતા.

જેઠમલાણીના મોદી માટે કડવા વચન
જેઠમલાણીએ આ કાર્યક્રમ દરમ્યાન કહ્યું કે હવે આ લોકોને સત્તા પરથી બેદખલ કરવા તેજ તેમનો એક માત્ર ઉદ્દેશ છે. અને તેની શરૂઆત બિહારથી થવી જોઇએ.

પીએમ મોદીએ લોકોને ઠગ્યા
જેઠમલાણીએ કહ્યું કે પીએમ મોદીએ લોકોને માત્ર ઠગ્યા જ છે. તેમનુ સત્ય બહાર આવી ગયુ છે. અને મને ખુબ જ દુખ છેકે લોકસભા ચૂંટણીમાં મેં તેમને પીએમ બનાવવા માટે જોર કર્યું હતુ.

કાળાધનનો મુદ્દો
તેમણે કહ્યું કે પીએમ મોદીનું સમર્થન તેમણે એટલે કર્યું હતુ કે તેઓ વિચારતા હતા કે મોદી સરકાર કાળાધનને પાછું લાવવા માટે ગંભીરતાથી કામ કરશે. પરંતુ સરકારે તે દિશામાં કોઇ ગંભીર કાર્યવાહી નથી કરી.

નારાજગીનું કારણ
લોકસભા ચૂંટણીમાં મોદી મોદીની બુમરાડ કરનાર રામ જેઠમલાણી મોદીથી નારાજ હોવાનું કારણ મોદીએ લોકસભા ચૂંટણી વખતે જનતાને જે વચનો આપ્યાં હતા તે પૂરા નથી કર્યા.

નિતીશ કુમારને કર્યું સમર્થન
જેઠમલાણીએ કહ્યું કે હવે તેમણે જો વોટ આપવાનો હશે તો તેઓ બીજેપી અને મોદીને બહાર કરવા માટે નિતીશ કુમારને વોટ કરશે. કેન્દ્ર સરકાર કાળાધન મુદ્દે ગંભીરતાથી નથી વિચારી રહી અને એટલે હવે તેઓ JDUની સાથે મળીને કાળાધનને ચૂંટણી મુદ્દો બનાવવા ઇચ્છે છે.

વાત કઇંક અલગ છે
પરંતુ ભાજપને નિકટતાથી જાણનારા લોકોનું કહેવુ છેકે માત્ર કાળાધનના મામલે રામજેઠમલાણી મોદી અને જેટલીથી નારાજ ન થઇ શકે. ભાજપમાંથી બહાર કાઢવામાં આવેલા જેઠમલાણીના ગુસ્સાનું કારણ અન્ય કોઇ ગંભીર મુદ્દો હોઇ શકે છે. જેમકે તેમને લાગતુ હતુ કે મોદીના આવ્યા બાદ પક્ષમાં તેમની વાપસી થશે, પણ તેવુ થયું નહિં. અને એટલે તેઓ પોતાનો ગુસ્સો આ અંદાજમાં કાઢી રહ્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
