અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટનુ એલાન, પીએમ મોદીએ કરી ઘોષણા
પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભામાં પોતાના સંબોધન દરમિયાન અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટના નામનુ એલાન કર્યુ.
મોદી કેબિનેટમાં આજે રામ મંદિર ટ્રસ્ટની રચનાને મંજૂરી મળી ગઈ. પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભામાં પોતાના સંબોધન દરમિયાન અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટના નામનુ એલાન કર્યુ. પીએમ મોદીએ કહ્યુ કે 'શ્રીરામ જન્મભૂમિ તીર્થ સ્થળ' નામથી આ ટ્રસ્ટ હશે. તેમણે જણાવ્યુ કે કેબિનેટની બેઠકમાં સરકારે આ નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે ટ્રસ્ટની રચના માટે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી ડેડલાઈન ખતમ થવાને માત્ર ચાર દિવસ જ બાકી હતા.

મારુ સૌભાગ્ય
લોકસભામાં પીએમ મોદીએ કહ્યુ કે આ વિષય શ્રીરામ જન્મભૂમિ સાથે જોડાયેલો છે. આ વિષય અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર સાથે જોડાયેલો છે. કરોડો દેશવાસીઓની જેમ મારા હ્રદયની પણ નજીક છે આ વિષય વાત કરવી હું મારુ સૌભાગ્ય સમજુ છુ. પીએમ મોદીએ કહ્યુ કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર એક સ્વાયત્ત ટ્રસ્ટ ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થ સ્થળ'ની રચના કરવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે.
|
નિર્ણય લેવા માટે પૂર્ણ રીતે સ્વતંત્ર
પીએમ મોદીએ કહ્યુ કે સરકારે અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણ માટે અને આની સાથે સંબંધિત વિષયો માટે એક બૃહદ યોજના તૈયાર કરી છે. આ ટ્રસ્ટ અયોધ્યામાં ભગવાન શ્રીરામના જન્મસ્થળ પર ભવ્ય અને દિવ્ય શ્રીરામ મંદિરના નિર્મા અને તેની સાથે જોડાયેલા વિષયો પર નિર્ણય લેવા માટે પૂર્ણ રીતે સ્વતંત્ર હશે. પીએમ મોદીએ કહ્યુ કે 67.3 એકર જમીન શ્રીરામ જન્મભૂમિ તીર્થ સ્થળને આપવામાં આવશે. જ્યારે સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર સુન્ની વકફ બોર્ડને 5 એકર જમીન આપવામાં આવશે.
ઐતિહાસિક ચુકાદો
તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે અયોધ્યા રામ જન્મભૂમી પર ઐતિહાસિક ચુકાદો સંભળાવીને વિવાદિત જમીનને રામલલ્લાને સોંપવાનો આદેશ આપ્યો હતો. સાથે જ કોર્ટે પક્ષને મસ્જિદ બનાવવા માટે અયોધ્યામાં જ બીજી જગ્યાએ 5 એકર જમીન આપવા માટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
