જન સેવા એ જ પ્રભુ સેવા છે તેમ માનતા હતા વિવેકાનંદ: મોદી
આજે સ્વામી વિવેકાનંદે શિકાગોમાં આપેલા ભાષણને 125 વર્ષ પુરા થયા. આ ઉપરાંત પંડિત દીનદયાળની પણ આજે જન્મશતાબ્ધી નિમિતે દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓને સંબોધ્યા. આ અંગે વધુ વાંચો
સ્વામી વિવેકાનંદે શિકાગોમાં આપેલા ભાષણને આજે 125 વર્ષ પુરા થયા છે તે ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની શતાબ્ધીના કારણે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને સંબોધ્યા એક કાર્યક્રમ યોજોયો હતો. જેમાં નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને યાદ કરતા કેટલીક વાતનો ઉલ્લેખ કરતા જણાવ્યુ હતુ કે, વિવંકાનંદે કહ્યુ છે કે જન સેવા જ પ્રભુ સેવા છે . દેશમાં વંદે માતરમ બોલવાનો પ્રથમ હક આપણા દેશના સફાઈ કર્મચારીને છે. પાનની પિચકારી રસ્તા પર માર્યા બાદ વંદે માતરમનો કોઈ અર્થ રહેતો નથી.

વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓને વધુમાં જણાવ્યુ હતુ, સ્વામી વિવેકાનંદ દેશના યુવાનને જોશથી ભરપૂર જોવા માંગતા હતા. એટલે જ અમારી સરકારે માત્ર યુવાનને સર્ટિફિકેટ મેળવવા પુરતો મર્યાદિત ન રાખતા તેનામાં સ્કીલ પણ વધે તેવા પ્રયાસો કર્યા છે. વધુમાં પીએમ કહ્યું કે આપણે આ વિશ્વને ત્યારે કંઇ આપી શકશુ જ્યારે આપણે આપણી સંસ્કૃતિ અને આપણા પર ગર્વ કરીશું. સ્વામી વિવેકાનંદ ક્યારે પણ ઊંચ-નીંચના ભેદભાવમાં માનતા ન હતા. તેઓએ હમેશા આપણા કુરિવાજોનો નિરોધ કર્યો છે. ભારત ગુલામ હતુ તેમ છતાં વિવેકાનંદમાં આત્મવિશ્વાસ આપાર હતો, જે આજના યુવાનોમાં દેખાતો નથી. જ્યારે કોલેજોમાં વિદ્યાર્થી પ્રતિનિધિની ચૂંટણી થાય છે ત્યારે ઘણા વચનો આપવામાં આવે છે આ વચનોમાં કેમ્પસ સાફ રાખશે તેવા વચનો કેમ યુવાનો નથી આપતા? તેવી તેમણે પુછ્યું હતું.
વધુમાં પીએમ મોદીએ કહ્યું કે આજનો યુવાન એક અસફળતા મળવાથી જીવનનો અંત લાવી દે છે પરંતુ સ્વામી વિવેકાનંદ માનતા હતા કે અસફળતા જ સફળતાનો રસ્તો છે. આ ઉપરંત નરેન્દ્ર મોદીએ મેક ઇન ઇન્ડિયાની વાત કરતા જણાવ્યુ કે સ્વામી વિવેકાનંદ પણ મેક ઇન ઇન્ડિયા પર કામ કરતા હતા. તેમણે જ દુનિયાને નવો રસ્તો આપ્યો હતો. ભાષણમાં પહેલ કરલા માટે દુનિયામાં માત્ર લેડિઝ અન્ડ જેંટલમેન શબ્દ સિવાય કોઇ બીજો શબ્દ ન હતો. સ્વામી વિવેકાનંદે મારા ભાઈઓ અને બહેનો નો નવો શબ્દ દુનિયાને આપ્યો હતા. નોંધનીય છે કે આ સંમેલનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
