પુલવામા હુલમાને લઈ સૈમ પિત્રોડાના વિવાદિત નિવેદન પર મોદીએ આપ્યો આ જવાબ
સૈમ પિત્રોડાના વિવાદિત નિવેદન પર મોદીએ આપ્યો આ જવાબ
નવી દિલ્હીઃ બાલાકોટમાં એર સ્ટ્રાઈક પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાહુલ ગાંધીના નજીકના સૈમ પિત્રોડાના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. સૈમ પિત્રોડાએ એર સ્ટ્રાઈકમાં મરનાર આતંકવાદીઓની સંખ્યા પર સવાલ ઉઠાવ્યા છે જ્યારે એમ પણ કહ્યું કે પુલવામા જેવા હુમલા થતા રહે છે. આ નિવેદન પર પીએમ મોદીએ ટ્વીટ કરી કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે વિપક્ષ આપણા સુરક્ષાબળોનું વારંવાર અપમાન કરતું રહ્યું છે.

સેનાનું અપમાન કરી પાક નેશનલ ડે મનાવવાની શરૂઆત થઈ ગઈ
પીએમ મોદીએ સૈમ પિત્રોડાના નિવેદન પર ટ્વીટ કરી કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષે આપણા સુરક્ષાબળોને વારંવાર અપમાનિત કર્યા છે. હું મારા સાથી ભારતીયોને અપીલ કરું છું કે વિપક્ષી નેતાઓને તેમના નિવેદનોને લઈ સવાલ કરે. તેમણે જણાવ્યું કે 130 કરોડ ભારતીયો વિપક્ષને તેમની હરકત માટે માફ નહિ કરે અને ભૂલશે પણ નહિ. ભારત પોતાની સેનાઓની સાથે મજબૂતીથી ઉભ્યું છે. પીએમ મોદીએ આ ટ્વીટ સાથે જનતા માફ નહિ કરે હેશટેગનો પણ ઉપયોગ કર્યો.
|
વિપક્ષ વારંવાર કરી રહ્યું છે સેનાનું અપમાન
વધુ એક ટ્વીટ કરતા પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું. કોંગ્રેસ અધ્યક્ષના સૌથી ભરોસેમંદ સલાહકાર અને માર્ગદર્શકે આજે માની લીધું કે દેશના લોકો પહેલાથી જ જાણે છે કે કોંગ્રેસ આતંકવાદીઓને જવાબ આપવા માટે તૈયાર નહોતી. આ નવું ભારત છે, અમે આતંકવાદીઓને તેમની ભાષામાં જવાબ આપીશું. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષના સૌથી વિશ્વસનીય સલાહકારે ભારતીય સેનાનું અપમાન કરી કોંગ્રેસ તરફથી પાક નેશનલ ડે પર ઉત્સવની શરૂઆત કરી છે, આ શર્મનાક બાબત છે.
|
રામગોપાલ યાદવના નિવેદનને ગણાવ્યું શહીદોનું અપમાન
સપાના રાષ્ટ્રીય મહાસચિવ રામગોપાલ યાદવના નિવેદન પર પીએમ મોદીએ નિશાન સાધ્યું અને કહ્યું કે રામગોપાલ યાદવ જેવા વરિષ્ઠ નેતાના નિંદનીય નિવેદન તે તમામ લોકોનું અપમાન છે જેમણે કશ્મીરની રક્ષામાં પોતાની જાન આપી છે. આ અમારા શહીદોના પરિવારોને અપમાનિત કરે છે. જણાવી દઈએ કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સૈમ પિત્રોડાએ કહ્યું હતું કે જો વાયુસેનાએ 200 આતંકવાદીઓને માર્યા તો ઠીક છે પણ હું માત્ર એટલું કહું છું કે તમે મને વધુ તથ્યો આપીને તે વાત સાબિત કરી શકો છો.
-
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
