PM મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક, બિટકોઈન અંગે ટ્વિટ કરીને હંગામો મચાવ્યો
એક મોટા સમાચાર દિલ્હીથી છે, PM નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ શનિવારના રોજ મોડી રાત્રે હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યું હતું અને તે પછી તેમના એકાઉન્ટમાંથી બિટકોઇન સંબંધિત એક ટ્વીટથી હંગામો મચી ગયો હતો.
નવી દિલ્હી : એક મોટા સમાચાર દિલ્હીથી છે, PM નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ શનિવારના રોજ મોડી રાત્રે હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યું હતું અને તે પછી તેમના એકાઉન્ટમાંથી બિટકોઇન સંબંધિત એક ટ્વીટથી હંગામો મચી ગયો હતો. જો કે, પીએમઓએ તરત જ આ મામલે સ્પષ્ટતા કરી અને કહ્યું કે, પીએમ મોદીનું ટ્વિટર હેક થઈ ગયું છે અને બિટકોઈનના સંદર્ભમાં તેમની તરફથી કોઈપણ પ્રકારની ટ્વિટ કરવામાં આવી નથી. હાલ માટે PM મોદીનું ટ્વિટર હેન્ડલ સુરક્ષિત કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીનું એકાઉન્ટ હેક કર્યા બાદ હેકર્સે લખ્યું હતું કે, 'ભારતે બિટકોઈનને કાયદેસર રીતે માન્યતા આપી છે', જે બાદ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો. નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે ભારતમાં ક્રિપ્ટોકરન્સીને કાયદેસર રીતે માન્યતા આપી નથી.

વડાપ્રધાન મોદીના એકાઉન્ટમાંથી બે ટ્વિટ
PM મોદીના એકાઉન્ટમાંથી શનિવારના રોજ મોડી રાત્રે બે ટ્વિટ કરવામાં આવી હતી, પ્રથમ ટ્વિટ 2:11 કલાકે આવી હતી, જેમાં લખ્યું હતું કે 'ભારત સરકારેબિટકોઈનને કાયદેસર રીતે માન્યતા આપી છે અને તેણે પોતે 500 બિટકોઈન ખરીદ્યા છે અને તે લોકોને વહેંચી રહ્યા છે.
આ ટ્વીટ થોડા સમય માટે એકાઉન્ટ પર રહીપછી ડિલીટ થઈ ગઈ હતી.

થોડા સમય બાદ બંને ટ્વીટ ગાયબ થઈ ગયા
જે બાદ બીજી ટ્વિટ બપોરના રોજ 2.14 કલાકે કરવામાં આવી હતી, જેમાં ભારતે પણ જણાવ્યું હતું કે, બિટકોઈનને માન્યતા આપવી કાયદેસર છે, તે ટ્વિટ પણ થોડાસમય બાદ ગાયબ થઈ ગઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં વડાપ્રધાન મોદીના એકાઉન્ટમાંથી બંને ટ્વીટોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી.
|
PMOએ સ્પષ્ટતા કરી
જો કે, ત્યારબાદ પીએમઓ દ્વારા આ વિશે માહિતી આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે, વડાપ્રધાનનું ટ્વિટર એકાઉન્ટ થોડીવાર માટે હેક કરવામાં આવ્યુંહતું, પરંતુ હવે તેને ફરીથી સુરક્ષિત કરવામાં આવ્યું છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
બિટકોઈન અંગે જે પણ ટ્વીટ કરવામાં આવ્યું છે, તેમાં કોઈ પણ પ્રકારનું સત્યનથી. તેથી જે પણ ટ્વીટ થયા છે તેને અવગણો.

ટ્વિટરે પણ એક નિવેદન જાહેર કર્યું છે
ટ્વિટરે પણ આ અંગે એક નિવેદન જાહેર કર્યું છે અને કહ્યું છે કે, અમારી પાસે પ્રધાનમંત્રી કાર્યાલય સાથે 24 X 7 ઓપન લાઇન્સ છે અને અમને આ પ્રવૃત્તિ વિશે જાણથતાં જ અમારી ટીમે તરત જ એકાઉન્ટને સુરક્ષિત કરવા માટે જરૂરી પગલાં લીધાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
