એપીજે અબ્દુલ કલામ જયંતિઃ PM મોદીએ મિસાઈલ મેનને કર્યા યાદ, કહ્યુ - હંમેશા પ્રેરણાસ્ત્રોત બની રહેશે
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ડૉ. એપીજે અબ્દુલ કલામની આજે જયંતિ છે.
નવી દિલ્લીઃ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ડૉ. એપીજે અબ્દુલ કલામની આજે જયંતિ છે. એપીજે અબ્દુલ કલામની આ 90મી જયંતિ છે. એપીજે અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર, 1931ના રોજ થયો હતો. એપીજે અબ્દુલ કલામની જયંતિના દિવસે તેમના સમ્માનમાં દર વર્ષે 15 ઓક્ટોબરને વિશ્વ છાત્ર દિવસ તરીકે મનાવવામાં આવે છે. વિશ્વ છાત્ર દિવસનો ઉદ્દેશ શિક્ષણ અને છાત્રો પ્રત્યે કલામના પ્રયાસોનો સ્વીકાર કરવાનો છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એપીજે અબ્દુલ કલામની જયંતિ પર તેમને યાદ કરીને સાદર નમન કર્યા છે. પીએમ મોદીએ એપીજે અબ્દુલ કલામ સાથે પોતાના અમુક ફોટા પણ શેર કર્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યુ, 'મિસાઈલ મેન તરીકે પ્રખ્યાત દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલાજીને તેમની જયંતિ પર સાદર નમન. તેમણે પોતાનુ જીવન ભારતને સશક્ત, સમૃદ્ધ અને સામર્થ્યવાન બનાવવામાં સમર્પિત કરી દીધુ. દેશવાસીઓ માટે તેઓ હંમેશા પ્રેરણસ્ત્રોત બની રહેશે.'
વળી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક એપીજે અબ્દુલ કલામની જયંતિ પર તેમને યાદ કર્યા છે. તેમણે ટ્વિવટ કરીને લખ્યુ છે, 'ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામની જયંતિ પર તેમને નમન. આત્મનિર્ભર અને મજબૂત રાષ્ટ્રના નિર્માણનુ તેમનુ એક જ્વલંત સપનુ હતુ. તેમણે પોતાનુ આખુ જીવન માતૃભૂમિની સેવા માટે સમર્પિત કરી દીધુ. તેમના યોગદાનને ક્યારેય ભૂલી નહિ શકાય.'
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની કહેલી વાતો શેર કરી. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ટ્વિટ કરીને લખ્યુ, 'હું એક મહાન વિઝન, ભારતને એક વિકસિત રાષ્ટ્રમાં બધૃદલવાના વિઝન માટે કામના કરીશ અને પરસેવો વહાવીશ.' આ કોટેશન ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક એપીજે અબ્દુલ કલામનુ છે. આ કોટેશન બાદ પિયુષ ગોયલે લખ્યુ, 'હું પોતાના પૂર્વ રાષ્ટ્રપતિ, ભારત રત્ન અને ભારતના મિસાઈલ મેન, ડૉ.એપીજે અબ્દુલ કલામને તેમની જયંતિ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં પ્રત્યેક ભારતીય સાથે શામેલ થઉ છુ.'
વિદેશ મંત્રી એસ જયશંકરે લખ્યુ, 'જનતાના રાષ્ટ્રપતિ ભારત રત્ન ડૉ. એપીજે અબ્દુલ કલામને તેમની જયંતિ પર યાદ કરો. તેમની સાથે પોતાના સંબંધોની કદર કરો. આપણા રાષ્ટ્ર માટે આપવામાં આવેલુ તેમનુ યોગદાન માપી શકાય તેમ નથી.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
