પ્રધાનમંત્રી આવાસ યોજનાઃ પીએમ મોદીએ જારી કર્યા 2691 કરોડ, 6 લાખ લોકોના ખાતામાં પહોંચ્યા
રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ(PMAY-G) હેઠળ પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે ઉત્તર પ્રદેશ માટે 2690.77 કરોડની રકમ જાહેર કરી છે.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ(PMAY-G) હેઠળ પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે ઉત્તર પ્રદેશ માટે 2690.77 કરોડની રકમ જાહેર કરી છે. રાજ્યના 6 લાખ 10 હજાર લાભાર્થીઓના ખાતામાં આ પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્લીથી વીડિયો કૉન્ફરન્સિંગદ્વારા આ રકમ જાહેર કરી છે.

લાભાર્થીઓને પૈસા ટ્રાન્સફર કર્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ, આજે એક સાથે યુપીના 6 લાખથી વધુ પરિવારોને સીધા તેમના બેંક ખાતામાં લગભગ 2700 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. આમાંથી પાંચ લાખથી વધુ પરિવારો એવા છે જેમને ઘર બનાવવા માટે તેમનો પહેલો હપ્તો મળ્યો છે. આજે 80 હજાર પરિવાર એવા પણ છે જેમને તેમના મકાનનો બીજો હપ્તો મળી રહ્યો છે. હવે તમારા પરિવાર માટે આગલી ઠંડી એટલી કઠોર નહિ હોય. આગલી ઠંડીમાં તમારુ પોતાનુ ઘર પણ હશે અને ઘરમાં સુવિધાઓ પણ હશે.
પીએમ મોદીએ કહ્યુ કે પહેલા જે સરકારો રહી તે દરમિયાન ઉત્તર પ્રદેશમાં શું સ્થિતિ હતી એ તમે સૌએ જોઈ છે. ગરીબને એ વિશ્વાસ નહોતો કે સરકાર પણ ઘર બનાવવામાં તેમની મદદ કરી શકે છે. જે પહેલાની આવાસ યોજનાઓ હતી, જે રીતે ઘર તે હેઠળ બનાવવામાં આવતા હતા તે પણ કોઈનાથી છૂપા નથી. દેશે આઝાદીના 75 વર્ષ પૂરા થવા સુધી દરેક ગરીબ પરિવારને પાક્કુ ઘર આપવાનુ લક્ષ્ય નક્કી કર્યુ હતુ. અત્યાર સુધી લગભગ બે કરોડ ઘર માત્ર ગ્રામીણ વિસ્તારમાં બનાવવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પણ લગભગ સવા કરોડ ઘરોની ચાવી લોકોને આપવામાં આવી ચૂકી છે. તેમણે કહ્યુ કે પાંચ વર્ષ પહેલા મને યુપીના આગ્રાથી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો શુભારંભ કરવાનુ સૌભાગ્ય મળ્યુ હતુ. આટલા ઓછા વર્ષોમાં આ યોજનાએ દેશના ગરીબ ગામોની તસવીર બદલી દીધી. પ્રધાનમંત્રી આવાસ યોજનાથી ગરીબમાં ગરીબને પણ એ વિશ્વાસ અપાવ્યો છે કે આજે નહિ તો કાલે તેમનુ ઘર હોઈ શકે છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ દરમિયાન કહ્યુ કે ભાજપ સરકારમાં દેશમાં ગરીબોને ઘર ઉપલબ્ધ કરાવવા માટે સતત કામ કરી રહી છે. તેમણે જણાવ્યુ કે મુખ્યમંત્રી જણાવ્યુ કે યુપી માટે સાત લાખથી વધુ ઘર સ્વીકૃત થયા છે. પ્રધાનમંત્રીએ આજે જે પૈસા ઉત્તર પ્રદેશ માટે જાહેર કર્યા છે તેનાથી 5 લાખ 30 હજાર લાભાર્થીઓને આ યોજનાનો પહેલો હપ્તો મળ્યો છે. વળી, 80 હજાર લાભાર્થી એવા છે જેમને બીજો હપ્તો મળ્યો છે. તેમને પીએમવાય-જી યોજનાનો પહેલો હપ્તો મળી ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે પીએમ આવાસ યોજના-ગ્રામીણને 20 નવેમ્બર, 2016ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ મેદાની વિસ્તારોમાં પ્રત્યેક લાભાર્થીને ઘર બનાવવા માટે 1.20 લાખ રૂપિયા જ્યારે પહાડી ક્ષેત્રોમાં 1.30 લાખની આર્થિક સહાય આપવામાં આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
