પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પુષ્ણતિથિના પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્લી સ્થિત અટલ સમાધિ સ્થળ પર પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ અર્પિણ કરી.
નવી દિલ્લીઃ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પુષ્ણતિથિના પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્લી સ્થિત અટલ સમાધિ સ્થળ પર પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ અર્પિણ કરી. રાષ્ટ્રપતિ ઉપરાંત ઉપ રાષ્ટ્રતિ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અટલ સમાધિ સ્થળે પહોંચ્યા અને અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી. ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અન્ય ભાજપ નેતા પણ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અટલ સમાધિ સ્થળે પહોંચ્યા.

ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને લખ્યુ કે, 'ભારત રત્ન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીના જીવનની ક્ષણેક્ષણ ભારતને પરમ વૈભવના શિખર પર લઈ જવા માટે સમર્પિત રહી. અટલજી જેવા બહુઆયામી વ્યક્તિત્વવાળા જનનેતાને મેળવીને ભારતીય રાજનીતિ ધન્ય થઈ ગઈ છે. તેમના મૂલ્યો તેમજ આદર્શો આધારિત જીવન આપણે કરોડો કાર્યકર્તાઓ માટે એક અનમોલ ધરોહર છે.' તેમણે બીજા ટ્વિટમાં કહ્યુ કે, 'આદરણીય અટલજીએ પોતાના દ્રઢ નિશ્ચય તેમજ દૂરદર્શિતા સાથે દેશમાં સુશાસન તેમજ વિકાસને ચરિતાર્થ કરીને દરેક ભારતવાસીના જીવનના સ્પર્શ કર્યો સાથે જ આખા વિશ્વને અટલ ભારતના સાહસ અને સામર્થ્યથી પરિચિત કરાવ્યા. આવા મહાન યુગ મનીષી શ્રી અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ પર તેમના ચરણોમાં કોટિ-કોટિ વંદન.'
ઉલ્લેખનીય છે કે અટલ બિહારી વાજપેયીનો જન્મ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં 25 ડિસેમ્બર, 1924ના રોજ થયો હતો. અટલ બિહારી વાજપેયી સૌથી પહેલા 1996માં 13 દિવસ માટે પ્રધાનમંત્રી બન્યા હતા અને ત્યારબાદ 1998માં તેમણે કેન્દ્રમાં 13 મહિનાની સરકાર ચલાવી હતી. 1999માં તેઓ ત્રીજી વાર દેશના પ્રધાનમંત્રી બન્યા અને 2004માં એનડીએની હાર સુધી આ પદ પર રહ્યા. તેમના કાર્યકાળમાં ભારતે પરમાણુ પરીક્ષણ કરીને પોતાની તાકાતનો પરિચય કરાવ્યો. વળી, કારગિલમાં થયેલ પાકિસ્તાની ઘૂસણખોરીને રોકીને પડોશી દેશને પાઠ ભણાવ્યા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
