પીએમ મોદી ઈસરો ટીમને મળી થયા ભાવુક કહ્યુ - ચંદ્રયાન 3 લેન્ડર જ્યાં ઉતર્યુ એ જગ્યા કહેવાશે 'શિવશક્તિ'
PM Modi ISRO visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં ચંદ્રયાન-3 મિશનમાં સામેલ ઈસરોની ટીમના વૈજ્ઞાનિકોને મળ્યા હતા. પીએમ મોદી ઈસરોના વડા એસ સોમનાથ અને અન્ય વૈજ્ઞાનિકોને મળ્યા અને ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ ઉતરાણ બદલ અભિનંદન પાઠવ્યા. પીએમ મોદીએ સંબોધન કરતાં કહ્યું કે, હું ભારત આવ્યા બાદ સૌથી પહેલા તમને સલામ કરવા માંગતો હતો.
પીએમ નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં ઈસરો ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સ ખાતે ચંદ્રયાન 3 મિશનમાં સામેલ ઈસરોના વડા એસ સોમનાથ અને ઈસરો ટીમના અન્ય વૈજ્ઞાનિકોને મળ્યા અને 23 ઓગસ્ટના રોજ ચંદ્ર પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ બદલ અભિનંદન આપ્યા.

ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, 'ભારત આવવા પર હું સૌથી પહેલા તમને સલામ કરવા માંગતો હતો. અને ચંદ્ર પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ માટે તેમને અભિનંદન આપવા માંગતો હતો. હું વિદેશમાં હતો પણ મારું મન અહીં હતું'
પીએમ મોદીએ કહ્યું, "આજે હું એક અલગ જ સ્તરની ખુશી અનુભવી રહ્યો છું. આવી તકો બહુ ઓછી મળે છે. આ વખતે હું ખૂબ જ બેચેન હતો. હું દક્ષિણ આફ્રિકામાં હતો પણ મારું મન તમારી સાથે હતું."
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "23મી ઓગસ્ટનો એ દિવસ, એ એક-એક ક્ષણ, એ સેકન્ડ મારી નજર સામે ફરી ફરી રહી છે." વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ''જે જગ્યાએ ચંદ્રયાન-3નું મૂન લેન્ડર લેન્ડ થયુ, તે જગ્યા 'શિવ શક્તિ' તરીકે ઓળખાશે.''
#WATCH | The spot where Chandrayaan-3’s moon lander landed, that point will be known as ‘Shivshakti’, announces Prime Minister Narendra Modi at ISRO Telemetry Tracking & Command Network Mission Control Complex in Bengaluru pic.twitter.com/1zCeP9du8I
— ANI (@ANI) August 26, 2023
પીએમ મોદીએ કહ્યું, ભારત 23 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરશે, જે દિવસે ચંદ્ર પર ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ દિવસ આપણને હંમેશા પ્રેરણા આપતો રહેશે.
પીએમ મોદીએ કહ્યું, ચંદ્રયાન 3માં મહિલા વૈજ્ઞાનિકોએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ 'શિવ શક્તિ' બિંદુ આવનારી પેઢીઓને પ્રેરણા આપશે કે આપણે વિજ્ઞાનનો ઉપયોગ માનવતાના કલ્યાણ માટે જ કરવાનો છે. માનવતાનું કલ્યાણ એ આપણી સર્વોચ્ચ પ્રતિબદ્ધતા છે.
#WATCH | ..."Experts say that in a few years, India's space industry will become billion from billion...": PM Modi at ISRO Telemetry Tracking & Command Network Mission Control Complex in Bengaluru pic.twitter.com/uOWqY2cREF
— ANI (@ANI) August 26, 2023
પીએમ મોદીએ કહ્યું કે નિષ્ણાતો કહે છે કે થોડા વર્ષોમાં ભારતનો અવકાશ ઉદ્યોગ $8 બિલિયનથી વધીને $16 બિલિયન થઈ જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
