જીએસટી, એમએસપી, બેનામી સંપત્તિ કાયદા મુદ્દે પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 72 માં સ્વાતંત્ર્ય દિવસ પર લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કર્યો. આ ભાષણ એટલા માટે ખાસ હતુ કારણકે આ પ્રધાનમંત્રી તરીકે તેમના પહેલા કાર્યકાળનું અંતિમ ભાષણ હતુ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 72 માં સ્વાતંત્ર્ય દિવસ પર લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કર્યો. આ ભાષણ એટલા માટે ખાસ હતુ કારણકે આ પ્રધાનમંત્રી તરીકે તેમના પહેલા કાર્યકાળનું અંતિમ ભાષણ હતુ. આ પ્રસંગે પીએમ મોદીએ ઘણા મુદ્દાઓના સહારે કોંગ્રેસની નિષ્ફળતાઓને યાદ કરી. પીએમ મોદીના છેલ્લા ભાષણમાં લાલ કિલ્લા પરથી રાજકીય રંગ પણ જોવા મળ્યા. પીએમ મોદીના ભાષણમાં 2019 ની ચૂંટણીની દસ્તક પણ સંભળાઈ. તેમણે કહ્યુ કે દેશ એ જ છે, ધરતી એ જ છે, હવાઓ એ જ છે, સરકારી કાર્યાલયો એ જ છે, નિર્ણય પ્રક્રિયા કરનારા લોકો એ જ છે, ફાઈલો એ જ છે, પરંતુ દેશ ચાર વર્ષેમાં ફેરફાર અનુભવી રહ્યો છે. દેશ નવા સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે.

એમએસપી પર કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યુ કે ખેડૂતોને મૂળ કિંમતના ડોઢ ગણુ એમએસપી આપવામાં આવ્યુ. વધુ એમએસપીની માંગ વર્ષોથી કરાતી આવતી હતી. ખેડૂતોથી લઈ કૃષિ વિશેષજ્ઞો સુધી બધાએ આને વધારવાનો અનુરોધ કર્યો હતો પરંતુ કંઈ થયુ નહિ. ખેડૂતોના આશીર્વાદથી કેન્દ્ર સરકારે એમએસપી વધારવાનો નિર્ણય કર્યો. દેશમાં જીએસટી લાગુ થઈ ગયો છે અને નવો વિશ્વાસ પેદા થયો છે. શરૂઆતમાં થોડી મુશ્કેલી પડી પરંતુ દેશ હવે આગળ વધી ગયો છે.
પીએમ મોદીએ કહ્યુ કે જીએસટી પણ દરેક જણ ઈચ્છતા હતા પરંતુ નિર્ણય નહોતા થઈ શકતા. રાજકારણ-ચૂંટણીના દબાણ રહેતા હતા. દેશના નાના વેપારીઓના કારણે, તેમના ઓપન માઈન્ડના કારણે દેશમાં જીએસટી લાગુ થયો છે. પીએમ મોદીએ કહ્યુ કે બેંકરપ્સી કાયદા માટે કોણે રોક્યા હતા? બેનામી સંપત્તિનો કાયદો પહેલા કેમ નહોતો બન્યો? અમે હિંમતથી નિર્ણયો લઈએ છીએ. અમે પક્ષના હિતમાં નહિ દેશના હિતમાં નિર્ણયો લઈએ છીએ. ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વિકાસ કરી રહી છે. પૂર્વોત્તર ભારતના વિકાસ સાથે જોડાઈ રહ્યો છે. ચાર વર્ષોમાં નોર્થ ઈસ્ટને ભારત સાથે લાવીને ઉભો રાખી દીધો છે.
સૈનિકોના વન રેંક વન પેન્શન પર બોલતા પીએમ મોદીએ કહ્યુ કે તે કહેતા નહોતા સૈનિકો વચ્ચે પણ વન રેંક વન પેન્શન લાગુ કરવાના અવાજો ઉઠી રહ્યા હતા. દેશના જવાનો માટે ઘણા વર્ષોથી પેન્ડીંગ વન પેન્શનને અમે લાગુ કર્યુ. REFORM, PERFORM, TRANSFORM ના મોડેલ ચાલીને અમે ઘણા કામો કર્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
