મનમોહન સિંહ આજે મીડિયા સાથે થશે રૂબર, ગણાવશે સરકારની ઉપલબ્ધિઓ!
નવી દિલ્હી, 3 જાન્યુઆરી: વડાપ્રધાન મનમોહન સિંહ આજે દેશના મીડિયા સાથે ઔપચારિક રીતે રૂબરૂ થઇને પોતાની મૌન તોડશે. માનવામાં આવે છે કે મનમોહન સિંહ આજે મીડિયા સાથેની વાતચીતમાં 10 વર્ષોમાં યુપીએના કાર્યકાળની ઉપલબ્ધિઓનું વિવરણ આપશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન વર્ષ 2014માં યુપીએના સત્તામાં આવ્યા બાદથી આર્થિક વિકાસ, રોજગારનું સર્જન, મોંધવારી પર નિયંત્રણ અને નાના વેપારને પ્રોત્સાહન તથા સમર્થન જેવા ક્ષેત્રોમાં થયેલી પ્રગતિને સામે રાખશે. વડાપ્રધાન જો કે પોતાના સંબોધનમાં આ અનુમાન અનુસાર પોતાના રાજીનામાની જાહેરાત નહી કરે જેમાં કહેવામાં આવે છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવનો રસ્તો સાફ કરવા માટે રાજીનામાની જાહેરાત કરી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન જો કે આ ધારણાને તોડવા માંગે છે કે દેશમાં કામ થયું નથી. સૂત્રોનું કહેવું છે કે મનમોહન સિંહ મૂળ ત્રણ મુદ્દાઓ-રાજકારણ, અર્થવ્યવસ્થા અને વિદેશી મુદ્દાઓ પર બોલશે અને જણાવશે કે શું પ્રાપ્ત થયું છે અને શું કરવાનું બાકી રહી ગયું છે. વડાપ્રધાન તરીકે મનમોહન સિંહના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમનો આ ત્રીજો પૂર્ણ સંવદદાતા સંમેલન હશે.

વડાપ્રધાન મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દાઓનો સામનો કરવા માટે ભરેલા પગલાં વિશે જણાવશે. આ મુદ્દાઓને લઇને સરકારને આકરા પ્રહારો સહન કરવા પડ્યા છે. ભ્રષ્ટાચાર પર મનમોહન સિંહ લોકપાલ વિધેયકને મંજૂરી આપવાની ચર્ચા કરશે અને આ સાથે જ આ સમસ્યાનો સામનો કરવા માટે એક માળખું ઉભું કરવા માટે અન્ય કાયદાઓ બનાવવાના પ્રસ્તાવની ચર્ચા કરી શકે છે.
જ્યાં સુધી મોંધવારીનો પ્રશ્ન છે કે, મનમોહન સિંહ તેના કારણોનો ઉલ્લેખ નહી કરે. શક્ય છે કે નિર્માણ, રોજગાર અને લઘુ ઉદ્યોગના ક્ષેત્રમાં વૃદ્ધિને લઇને ઉલ્લેખ કરી શકે છે. લોકસભાની ચૂંટણીના થોડા મહિના પહેલાં યોજાઇ રહેલા આ સંવાદદાતા સંમેલનના મે 2009થી શરૂ થયેલા બીજા કાર્યકાળની આ બીજી પત્રકાર પરિષદ હશે. નબળી નિતીઓ, ભ્રષ્ટાચાર, મોંધવારી અને કેટલાક અન્ય જ્વલંત મુદ્દાઓને લઇને યુપીએ સરકાર ટીકાઓનો સામનો કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મનમોહન સિંહના આ બીજો કાર્યકાળ ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલો રહ્યો અને સરકારના કેટલાક મંત્રીઓને ભ્રષ્ટાચારના આરોપોના કારણે રાજીનામું આપવું પડ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ ઉદઘાટન કરવામાં આવેલા રાષ્ટ્રીય મીડિયા કેન્દ્રમાં આયોજિત સંમેલનમાં વરિષ્ઠ એડિટરો સહિત 250 મીડિયાકર્મી ભાગ લેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
