દેશમાં રાજકીય પરિવર્તન લાવવા માટે 'આપ' તરફ મીટ માંડી રહ્યા છે લોકો - પંજાબ CM ભગવંત માન
દેશભરમાં પરિવર્તનની લહેર છે અને ગુજરાત, હિમાચલ પ્રદેશ અને હરિયાણાના લોકો આ પરિવર્તનના ભાગીદાર બનવા માટે ઉત્સાહિત છે...
ચંદીગઢઃ દેશભરમાં પરિવર્તનની લહેર છે અને ગુજરાત, હિમાચલ પ્રદેશ અને હરિયાણાના લોકો આ પરિવર્તનના ભાગીદાર બનવા માટે ઉત્સાહિત છે તેમ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યુ હતુ. આદમપુર (હરિયાણા) વિધાનસભા મતવિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સતીન્દર સિંહના સમર્થનમાં જોર-શોરથી પ્રચાર કરતા મુખ્યમંત્રીએ કહ્યુ કે પંજાબના લોકોએ અમારા પર વિશ્વાસ કરીને મત આપ્યો, અમે આ વિશ્વાસને તૂટવા નહીં દઈએ. તેમણે કહ્યુ કે હવે હરિયાણાનો વારો છે અને હરિયાણામાં આ પરિવર્તનનો આધાર આદમપુર વિધાનસભા મતવિસ્તારથી બંધાશે.

સીએમ ભગવંત માને કહ્યુ કે જો હરિયાણાના લોકો વધુ સારી આરોગ્ય અને શિક્ષણ સુવિધાઓ અને બહેતર વહીવટ ઇચ્છતા હોય તો અમારા પર વિશ્વાસ કરો અને આ વિશ્વાસને તૂટવા દેવામાં આવશે નહિ. ભગવંત માને કહ્યુ કે દિલ્લીમાં શરૂ કરાયેલ 'મોહલ્લા ક્લિનિક્સ'નુ ક્રાંતિકારી પગલુ હવે 'આમ આદમી ક્લિનિક્સ'ના રૂપમાં પંજાબમાં સફળતાના નવા આયામો સર્જી રહ્યુ છે અને દરરોજ સેંકડો લોકો આ ક્લિનિક્સ દ્વારા મફત તબીબી અને મેડિકલ ટેસ્ટની સુવિધાનો લાભ લઈ રહ્યા છે. ભગવંત માને કહ્યુ કે દિલ્લીના શિક્ષણ મૉડલને સમગ્ર વિશ્વમાં વેગ મળ્યો છે અને હવે પંજાબમાં શિક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે હાલમાં દેશ રાજકીય પરિવર્તન તરફ આગળ વધી રહ્યો છે અને લોકો પરિવર્તન માટે કોંગ્રેસ અને ભાજપથી આગળ વધીને વધુ રાજકીય પરિવર્તનો શોધી રહ્યા છે. ભગવંત માને જણાવ્યુ હતુ કે આ રાજકીય પરિવર્તનનો આધાર ગુજરાત, હિમાચલ પ્રદેશ અને હરિયાણા સાથે જોડવામાં આવશે અને ચૂંટણીમાં જીત બાદ આ રાજ્યોમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારો દ્વારા લોકોને રાહત આપવામાં આવશે.
પંજાબ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી જન-હિતેષી નીતિઓ વિશે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યુ કે રાજ્ય સરકારે તેના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરી છે જે 2004માં બંધ કરવામાં આવી હતી. આ ઉપરાંત કર્મચારીઓને 6% મોંઘવારી ભથ્થુ (DA) આપવામાં આવ્યુ છે. જેથી કર્મચારીઓને મોંઘવારીની અસરોથી બચાવી શકાય. ભગવંત માને કહ્યુ કે પંજાબમાં દરેક વીજળી બિલ પર 600 યુનિટ ફ્રી આપવામાં આવી રહ્યુ છે. જેના કારણે લગભગ 50 લાખ ગ્રાહકોનુ વીજ બિલ શૂન્ય પર આવી રહ્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
