પવન બંસલને પાણીચું અપાશે, અશ્વિની કુમારનું ખાતું બદલાશે : સૂત્રો

સૂત્રોનું કહેવું છે કે કેબિનેટની ફેરબદલમાં બંસલને હટાવવામાં આવશે. અશ્વિની કુમારનું ખાતું બદલી દેવામાં આવશે. આ સમગ્ર ફેરફાર અંગેની જાહેરાત આવતા સપ્તાહ સુધીમાં થઇ શકે છે. વાસ્તવમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી બંને પ્રધાનોને તેમના પદ પર ચાલુ રાખવા માટે તૈયાર નથી. જ્યારે બીજી તરફ વડાપ્રધાન મનમોહન સિંહ આ બંને પ્રધાનોના રાજીનામા લેવાથી બચવા માંગે છે. આ વિકટ સ્થિતિમાં કેબિનેટમાં ફેરબદલનો સહારો લેવામાં આવશે.
રેલવે પ્રધાન પવન બંસલ ગુરુવારે સાંજે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં સામેલ થયા ન હતા. આ સાથે જ અટકળો વહેતી થઇ હતી કે તેમને મંત્રી પદથી દૂર કરવામાં આવશે. બંસલ ગુરુવારે અશોક રોડ સ્થિત પોતાના આવાસે જ રહ્યા હતા અને પોતાના કાર્યાલય પણ ગયા ન હતા. બંસલની નજીકના સૂત્રોનું કહેવું છે કે તેમની તબિયત સારી નથી.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઇ)એ રેલવે બોર્ડના સભ્ય મહેશકુમારના સભ્ય (ઇલેક્ટ્રિક)ના રૂપમાં નિયુક્તિ માટે બંસલના ભાણિયા વિજય સિંગલાને રૂપિયા 90 લાખ લાંચ આપવાના બહાર આવેલા કૌભાંડ પ્રકરણમાં તપાસ કરી રહી છે. જોકે બંસલે આ પ્રકારની કોણ પણ અનિયમિતતાથી ઇનકાર કર્યો છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે સિંગલા સાથે તેમના કોઇ કારોબારી સંબંધ નથી.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
