પાકે ફરી ભોક્યું પીઠમાં ખંજર, પઠાણકોટ એરબેઝ પર આતંકી હુમલો
આજે સવારે ચાર વાગ્યાની આસપાસ પંજાબના પઠાણકોટ એરફોર્સ સ્ટેશન પર આતંકીઓએ હુમલો કર્યો. લગભગ 7 કલાક ચાલેલી આ અથડામણમાં સુરક્ષાબળોએ 4 આતંકીઓને મોતને મોતને ધાટ ઉતાર્યા છે. તો સુત્રોથી પ્રાપ્ત થતી માહિતી મુજબ 6 જવાનો પણ આ હુમલામાં શહીદ થયા છે. અને એક સામાન્ય નાગરિકની પણ મોત થઇ છે. જો કે હાલ આ અંગે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યારે આ આખી ધટના પર ભારતના એનએસએ અજીત ડોભલેએ પાકિસ્તાનના એનએસએ જનરલ નાસિર ખાન જંજુઆ જોડે વાત પણ કરી.
પ્રાપ્ત જાણકારી મુજબ આતંકીઓ આત્મધાતી હુમલો કરીને એરબેઝ ઉડાવાનો ઇચ્છા ધરાવતા હતા. જો કે આ હુમલા બાદ પ્રધાનમંત્રી કાર્યાલય પણ આ ધટના પર પોતાની નજર બનાવીને બેઠું છે. નોંધનીય છે કે આ ધટના થઇ ત્યારે બેઝ પર અનેક મિગ પ્લેન અને હેલિકોપ્ટર હાજર હતા. સુત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ ચાર આતંકીએ સરકારી ગાડીનો ઉપયોગ કરીને એરફોર્સ સ્ટેશનમાં ધુસવાનો પ્રયાસ કર્યો અને ગોળી વરસાવાની શરૂઆત કરી. અને આજની આ ધટના બાદ પણ કેન્દ્ર સરકારને વિપક્ષ અને શિવસેના તરફ ફરી આ જ સાંભળવા મળશે તે વાતમાં કોઇ નવાઇ નથી.
જો કે ફરી એક વાર પાકિસ્તાનને પાકિસ્તાનવાળી કરી તેવું આ ધટનાને જોઇને કહેવું બિલકુલ પણ અતિશ્યોક્તિ ના કહી શકાય. કારણ કે આ પહેલા પણ જ્યારે જ્યારે ભારતે પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે ભારતને તેનો હિસાબ પોતાના લોકોનું લોહીને વહેવડાવીને જ આપ્યો છે. ત્યારે આ પહેલા ક્યારે ક્યારે પાકિસ્તાને ભારત જોડે દગાબાજી કરી છે તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

કારગિલ યુદ્ધ
ઇતિહાસ પર નજર કરીએ તો 1999માં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇ શાંતિ વાર્તાનો પ્રસ્તાવ લઇને પાકિસ્તાન ગયા હતા. જે બાદ જ કારગિલ યુદ્ધ થયું. જેમાં ભારતના અનેક જવાનો શહિદ થયા. તે વખતના તત્કાલીન પ્રમુખ પરવેઝ મુશરર્ફ હતા જે આજે પણ ભારતને ખત્મ કરવાની જ વાતો તેમના નિવેદનોમાં કરતા રહેતા હોય છે.

એલઓસીનું ઉલ્લધન
જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી અનેક વાર પાકિસ્તાને આતંરાષ્ટ્રીય સીમાનું ઉલ્લંધન કરીને ફાયરિંગ કર્યું છે. હાલમાં જ સતત ત્રણ દિવસ સુધી બન્ને દેશોએ આ માટે સામ સામાં જવાબી કાર્યવાહી કરી છે. જેના લીધે અનેક લોકોના જાનમાલને ભારે નુક્શાન થયું છે.

હેમરાજ અને સુધાકર
પુંછ સેક્ટરના બે ભારતીય જવાનો હેમરાજ અને સુધાકરની વર્ષ 2013માં ધાતકી હત્યા કરીને તેના માથા ધડથી કાપીને લઇ જવામાં આવ્યા હતા. આ ધટનાથી બન્ને દેશો વચ્ચે વાતચીત બંધ કરવામાં આવી હતી.

ગુરદાસપુર આતંકી હુમલો
ગુરદાસપુર આતંકી હુમલામાં આતંકીઓએ દીનાનગર પોલિસ સ્ટેશન પર કબજો કરીને આંતકી હુમલો કર્યો હતો. જો કે પાક. કદી પણ અધિકૃત રીતે તે વાત સ્વીકારી નથી કે આ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ છે.

મોદી અને નવાઝની હાલની મુલાકાત
ત્યારે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના બોલાવા પર પાકિસ્તાન ગયા હતા અને થોડાક કલાક વીતાવ્યા હતા. તે વાતને હજી ગણીને 20 દિવસ પણ નથી થયા અને ફરી પાક. તેની આ નાપાક હરકત કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
