5 દવાઓ પર બેન અંગે પતંજલિએ આપ્યો જવાબ, ગણાવ્યું ડ્રગ્સ માફિયાનું ષડયંત્ર
ઉત્તરાખંડ સરકારે ભ્રામક જાહેરાતને કારણે તેમની 5 દવાઓ પર પ્રતિબંધ અંગે છપાયેલા સમાચારો અંગે દિવ્ય ફાર્મસી દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, છાપામાં 5 દવા પર પ્રતિબંધ અંગે સમાચાર આવ્યા છે.
યોગ ગુરૂ બાબા રામદેવ એક વાર ફરીથી એન્ટી આયુર્વેદ ડ્રગ માફિયા પર ભડક્યા હતા. બાબા રામદેવના પતંજલિ ગૃપની દવા કંપની દિવ્ય ફાર્માસીએ આરોપ લગાવ્યો છે કે, એન્ટી આયુર્વેદ ડ્રગ માફિયા તેમની સામે ષડયંત્ર કરી રહ્યા છે. ઉત્તરાખંડ સરકારે ભ્રામક જાહેરાતને કારણે તેમની 5 દવાઓ પર પ્રતિબંધ અંગે છપાયેલા સમાચારો અંગે દિવ્ય ફાર્મસી દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, છાપામાં 5 દવા પર પ્રતિબંધ અંગે સમાચાર આવ્યા છે. આ સમગ્ર ષડયંત્ર પાછળ આર્વેદિક દવાનો વિરોધ કરતા લોકો છે.

અમારી પ્રોડક્ટ્સ તમામ સંશોધનમાંથી પસાર થાય છે
દિવ્યા ફાર્મસીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, પતંજલિ જે પણ ઉત્પાદનો અથવા દવાઓ બનાવે છે, તે આયુર્વેદની પરંપરા અનુસારતમામ સંશોધનમાંથી પસાર થાય છે. તેઓ ગુણવત્તાને ધ્યાનમાં રાખીને તમામ વૈધાનિક પ્રક્રિયાઓ અને આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરેછે.
આ સિવાય તમામ ઉત્પાદનો અને દવાઓના નિર્માણમાં 500 થી વધુ વૈજ્ઞાનિકોની મદદ લેવામાં આવે છે. જે પત્ર એક ષડયંત્ર હેઠળલખવામાં આવ્યો છે અને 9 નવેમ્બરના રોજ તમામ મીડિયા સંસ્થાઓને મોકલવામાં આવ્યો છે, તેની નકલ હજૂ સુધી પતંજલિ સંસ્થાને કોઈપણ સ્વરૂપે મળી નથી.

આ 5 દવાઓ પર પ્રતિબંધનો દાવો
દિવ્ય ફાર્મસી કંપનીએ તેના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, અમે માંગણી કરીએ છીએ કે અથવા તો વિભાગ પોતાની ભૂલ સુધારીને આ ષડયંત્રમાં શામેલ લોકો સામે યોગ્ય પગલા લે અથવા સંસ્થા તરીકે પતંજલિને થયેલું નુકસાન વળતર માટે કંપની પોતે જ કરશે.
જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરો. નોંધપાત્ર રીતે ગુરુવારના રોજ કેટલાક અખબારોએ અહેવાલ આપ્યો હતો કે, ઉત્તરાખંડ સત્તાવાળાએ રામદેવની પતંજલિ આયુર્વેદને પાંચ દવાઓનું ઉત્પાદન બંધ કરવા જણાવ્યું છે કે, જેમાં બ્લડ પ્રેશર, સુગર, ગોઇટર, ગ્લુકોમા અને હાઇ કોલેસ્ટ્રોલનો ઉપચાર કરવાનો દાવો કરવામાં આવ્યો છે.

પતંજલિ પર ભ્રામક જાહેરાતો આપવાનો આરોપ
ધ ટેલિગ્રાફના સમાચાર અનુસાર દેહરાદૂન સ્થિત આયુર્વેદ અને યુનાની લાયસન્સિંગ ઓથોરિટીએ દિવ્યા ફાર્મસીને મધુગ્રિટ, ઇગ્રિટ,થાઇરોગ્રિટ, બીપીગ્રિટ અને લિપિડોમ દવાઓનું ઉત્પાદન બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.
આવા સમયે, ધ હિંદુએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, આ આદેશ ઓથોરિટીના લાયસન્સિંગ અધિકારી ડૉ. જીસીએસ જંગપાંગીએ જાહેર કર્યો છે અને પતંજલિ પર ભ્રામક જાહેરાતો આપવાનો આરોપ લગાવીને આ કાર્યવાહી કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
