Parliament : જાણો અધ્યાદેશ, અધિનિયમ અને બિલમાં શું ફરક હોય છે?
હાલ સંસદનું વિશેષ સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર દરમિયાન વિવિધ બિલ લાવવામાં આવી રહ્યા છે. જો કે તમને એ નહીં ખબર હોય કે પાર્લામેન્ટમાં લાવવામાં આવતા બિલ, અધ્યાદેશ અને અધિનિયમમાં ફરક હોય છે.
જણાવી દઈએ કે, કોઈપણ બિલ ત્યારે જ કાયદો બને છે જ્યારે બંને ગૃહોમાં પસાર થાય છે. તેના પર અડધાથી વધુ રાજ્યોની સંમતિની મહોર તેમજ રાષ્ટ્રપતિની સહી હોય છે અને તેના માટે રાષ્ટ્રપતિ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે. આવું થયા પછી જ તેને સમગ્ર દેશમાં એકસરખી રીતે લાગુ કરવામાં આવે છે.

જ્યારે પણ લોકસભામાં કોઈ બિલ આવે છે ત્યારે એક્ટ, બિલ, કાયદો અને વટહુકમ જેવા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવે છે. આજે આપણે એ જ જાણવાના છીએ કે અધિનિયમ, અધ્યાદેશ અને બિલ વચ્ચે શું ફરક છે?
જ્યાં સુધી લોકસભા અને રાજ્યસભા દ્વારા કાયદો પસાર ન થાય ત્યાં સુધી તેને બિલ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કેન્દ્ર સરકારે હમણાં જ લોકસભામાં નારી શક્તિ વંદન બિલ રજૂ કર્યું છે. જ્યારે તે પસાર થશે ત્યારે તે એક કાયદો બની જશે. જો કે, જો તમે વિચારી રહ્યા હોવ કે જ્યારે બંને ગૃહો દ્વારા બિલ પસાર થાય છે, ત્યારે તે આપોઆપ કાયદો બની જાય છે, તો તમે ખોટા છો. હકીકતમાં, કોઈપણ બંધારણીય ખરડો કાયદો બને તે પહેલાં, તે એક અધિનિયમ બની જાય છે અને તેની અંતિમ પ્રક્રિયા તેને કાયદો બનાવે છે.
બિલ
લોકસભા અને રાજ્યસભા દ્વારા કાયદો પસાર ન થાય ત્યાં સુધી તે બિલ તરીકે ઓળખાય છે. જો તમે વિચારી રહ્યા હોવ કે બંને ગૃહોમાં બિલ પસાર થાય ત્યારે તે આપોઆપ કાયદો બની જાય તો એવુ નથી. કોઈપણ બંધારણીય ખરડો કાયદો બને તે પહેલાં તે એક અધિનિયમ બની જાય છે અને તેની અંતિમ પ્રક્રિયા તેને કાયદો બનાવે છે.
અધિનિયમ અને કાયદા અંતર?
કોઈપણ બિલને અધિનિયમ બનવા તેને પહેલા લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવું પડે છે અને તેની સાથે તેને અડધાથી વધુ રાજ્યો દ્વારા મંજૂર કરવામાં આવે છે તેમજ રાષ્ટ્રપતિ દ્વારા સહી કરવી પડે છે. તેના માટે રાષ્ટ્રપતિ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે.
આ ગ્ર પ્રક્રિયા પછી જ બિલ એક્ટ બને છે. આ કાયદો જ્યાં સુધી જમીન પર અમલમાં ન આવે ત્યાં સુધી સ્વીકારવામાં આવતો નથી. કોઈપણ બિલને કાયદો બનવા માટે ત્રણ તબક્કા પસાર કરવા પડે છે. પહેલા ખરડો પછી અધિનિયમ અને અંતે કાયદો બને છે.
વટહુકમ
વટહુકમ એ ટૂંકા ગાળા માટે બનેલો કાયદો છે. આ માટે સરકારને સંસદની તાત્કાલિક પરવાનગીની જરૂર નથી. બાદમાં સરકારે આ કાયદા માટે સંસદની પરવાનગી લેવી પડે છે. જણાવી દઈએ કે, કેન્દ્રીય કેબિનેટની સલાહ પર રાષ્ટ્રપતિ જ્યારે ઈચ્છે ત્યારે કલમ 123 હેઠળ વટહુકમ બહાર પાડી શકે છે. જ્યારે રાજ્યોમાં આ વટહુકમ રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
