પેરાસિટામોલનો ઉપયોગ કરતા હોય તો થઈ જાવ સાવચેત, બની શકે છે ઘાતકઃ શોધ
પેરાસિટામોલનો ઉપયોગ તમારી જિંદગી માટે ખતરનાક બની શકે છે. વાંચો આ અભ્યાસ શું કહે છે.
નવી દિલ્લીઃ પેરાસિટામોલનો દૈનિક ઉપયોગ તમારી જિંદગી માટે ખતરનાક બની શકે છે. એક અભ્યાસમાં આ વાતનો ખુલાસો થયો છે. અભ્યાસમાં સામે આવ્યુ છે કે પેરાસિટામોલના રોજ ઉપયોગ બ્લડ પ્રેશર અને હ્રદયરોગનો હુમલો તેમજ સ્ટ્રોકનુ જોખમ વધારી શકે છે. શોધકર્તાઓએ ડૉક્ટરોને હ્રદયરોગના હુમલા અને સ્ટ્રોકના જોખમવાળા લોકોને પેરાસિટામોલ આપતા પહેલા સાવચેત રહેવા માટે કહ્યુ છે.

અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
એડિનબર્ગ વિશ્વવિદ્યાલયના વિશેષજ્ઞોએ હાઈ બ્લડપ્રેશરના ઈતિહાસવાલા 110 રોગીઓ પર આ અભ્યાસ કર્યો. આ રોગીઓને બે સપ્તાહ સુધી દિવસમાં ચાર વાર પેરાસિટામમોલ આપવામાં આવી. ચાર દિવસની અંદર આ રોગીઓમાં બ્લડ પ્રેશર ઘણુ વધી ગયુ જેના કારણે હ્રદય રોગનો હુમલો થવાની સંભાવના 20 ટકા વધી ગઈ હતી.
બ્રિટનમાં ભારે માત્રામાં થઈ રહ્યો છે પેરાસિટામોલનો ઉપયોગ
બ્રિટનમાં લગભગ 10માંતી એક વ્યક્તિને જૂના દર્દ માટે ડેઈલી રુટિનમાં પેરાસિટામોલ આપવામાં આવે છે. જ્યારે ત્યાં ત્રણ વયસ્કોમાંથી એક વયસ્ક હાઈ બ્લડ પ્રેશરથી પીડિત છે. એડિનબર્ગ વિશ્વવિદ્યાલયમાં ચિકિત્સકીય અને નૈદાનિક ઔષધ વિજ્ઞાનના અધ્યક્ષ પ્રોફેસર ડેવિડ વેબે કહ્યુ, 'અમે પેરાસિટામોલને એક સરક્ષિત વિકલ્પ સમજી રહ્યા હતા. અમે રોગીઓ પર ઈબુપ્રોફેન જેવી દવાઓના ઉપયોગને બંધ કરવાની કોશિશ કરી રહ્યા હતા જે બ્લડ પ્રેશરને વધારવા માટે જાણીતી છે. હ્રદયરોગના હુમલા કે સ્ટ્રોકના જોખમવાળા રોગીઓને પેરાસિટામોલનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ.' તેમણે કહ્યુ કે અમે ડૉક્ટરોને આગ્રહ કરીશુ કે તેઓ પેરાસિટામોલનો એટલો જ ડોઝ આપે જેટલો દર્દ ઠીક કરવા માટે જરૂરી છે. પહેલા તેને ઓછી માત્રામાં આપે અને પછી તબક્કાવાર રીતે તેનો ડોઝ વધારે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
