પાકિસ્તાનના મંત્રીએ ભારતને ન્યુક્લિયર વોરની ધમકી આપી
પાકિસ્તાન જે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે તે જોતા પાકિસ્તાનના નેતાઓ એટલે ગુસ્સે થઇ ગયા છે કે તેઓને બોલવાનું પણ ભાન નથી રહ્યું.
પાકિસ્તાન જે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે તે જોતા પાકિસ્તાનના નેતાઓ એટલે ગુસ્સે થઇ ગયા છે કે તેઓને બોલવાનું પણ ભાન નથી રહ્યું. કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન જે રીતે આંતરરાષ્ટ્રીય મંચ પર એકલું બન્યું તે પછી પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદે ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી દીધી છે. શેખ રશીદે કહ્યું કે ભારત તરફથી પરમાણુ યુદ્ધ થશે, અમારે જે પ્રકારના હથિયારની જરૂર જશે તેનો અમે ઉપયોગ કરીશું.

આ વખતે પરમાણુ યુદ્ધ
શેખ રશીદે કહ્યું કે તે સમયે જ્યારે હું 126 દિવસના ધરણામાં સામેલ હતો ત્યારે દેશની સ્થિતિ અને સરહદના પ્રશ્નો આજ જેવા નહોતા. પરંતુ હવે પાકિસ્તાન જોખમમાં છે. ભારત સાથે ઉગ્ર યુદ્ધ થશે અને તે કોઈ પરંપરાગત યુદ્ધ જેવું નહીં બને, આ વખતે પરમાણુ યુદ્ધ થઈ શકે છે. જે લોકો વિચારી રહ્યા છે કે ગોળાઓ 4-6 દિવસ ચાલશે, હવાઈ હુમલો કરશે અથવા નૌકાદળ ગોળાઓ ફેંકશે, તે લોકો ખોટું વિચારી રહ્યા છે. આ બિલકુલ નહીં થાય, આ વખતે પરમાણુ યુદ્ધ થશે.

ભારતીય સેનાની કાર્યવાહી
જણાવી દઈએ કે બે દિવસ પહેલા પણ સેના દ્વારા પીઓકે પર સખ્ત કાર્યવાહી કરવામાં આવી હતી અને આતંકવાદી છાવણીને સરહદ પાર તોડી નાખી હતી. હકીકતમાં, જમ્મુ-કાશ્મીરના તંગધાર સેક્ટરમાં બે જવાનો શહીદ થયા હતા, ત્યારબાદ ભારતે જવાબી કાર્યવાહીમાં જોરદાર ગોળીબાર કર્યો હતો. જેમાં 6-10 સૈનિકો અને આતંકવાદીઓ માર્યા ગયા હતા. એટલું જ નહીં, ભારતીય સેનાએ પીઓકેમાં સ્થિત 3 આતંકી લોન્ચ પેડ પણ નાશ કરી દીધા છે અને આતંકવાદી અડ્ડાઓને પણ નુકસાન પહોંચાડ્યું છે.

ઘૂસણખોરી રોકવાની કોશિશ
આ કાર્યવાહી બાદ આર્મી ચીફે કહ્યું કે, અમે તેનો યોગ્ય જવાબ આપવાનો નિર્ણય લીધો છે. અમને બાતમી મળી હતી કે ઘૂસણખોરી માટે ઘણા આતંકીઓ સરહદ નજીક આવ્યા છે. આવી સ્થિતિમાં, અમે પીઓકેમાં હાજર આતંકીઓના લોન્ચ પેડ નષ્ટ કરી દીધા હતા. તેમણે કહ્યું કે ભારતીય સેનાની કાર્યવાહીમાં 6-10 પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા છે. કુલ 3 આતંકવાદી છાવણીઓ નાશ પામ્યા છે. તેમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. રાવતે કહ્યું કે, અમે અથામુકામ, જુરા, કુંડલશાહીમાં આતંકવાદી છાવણીઓને નિશાનો બનાવ્યા છે. ઘુસણખોરીને રોકવા માટે અમે આ કાર્યવાહી કરી.
આ પણ વાંચો: લશ્કર અને જૈશ જેવા આતંકી સંગઠનોને કારણે આતંકવાદ વધ્યો: અમેરિકા
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
