જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ભારતીય સેનાનું 'Operation Mahadev', ત્રણ આતંકી ઠાર
Operation Mahadev in Srinagar: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ભારતીય સેનાએ ઓપરેશન મહાદેવ (Operation Mahadev) હેઠળ મોટી સફળતા મળી છે. સેના અને આતંકીઓ વચ્ચે શ્રીનગરમાં અથડામણ થતા 3 આતંકી ઠાર મરાયા છે. શ્રીનગરમાં સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઘેર્યા હતા. જેમાંથી 3 ઠાર મરાયા હોવાનું સામે આવ્યું છે, શ્રીનગરના લિડવાસની આ ઘટના છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને શ્રીનગર પોલીસનું આ સંયુક્ત ઓપરેશન છે. સેનાના ઓપરેશન મહાદેવમાં એન્કાઉન્ટર દરમિયાન 3 આતંકી ઠાર મરાયા છે.

Srinagar: લિડવાસ શ્રીનગરની બહારનો ગીચ જંગલ વિસ્તાર છે, જે ત્રાલને પહાડી માર્ગે જોડે છે. આ વિસ્તારમાં અગાઉ પણ TRFની આતંકવાદી પ્રવૃત્તિઓના અહેવાલો આવ્યા છે. આ ઓપરેશનનું નેતૃત્વ સેનાના ચિનાર કોર્પ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેણે ત્રણ આતંકવાદીઓને માર્યા ગયાની પુષ્ટિ કરી છે. આ દરમિયાન, દાચીગામ જંગલના ઉપરના ભાગોમાં CRPF અને જમ્મુ અને કાશ્મીર પોલીસનું સંયુક્ત ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ એ જ વિસ્તાર છે જ્યાં જાન્યુઆરીમાં પણ TRFના એક ઠેકાણાને તોડી પાડવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે 2 દિવસ પહેલા શંકાસ્પદ પ્રવૃત્તિઓ મળી આવી હતી.
#WATCH | J&K | Security Forces have neutralised three terrorists in an anti-terror operation in the Harwan area of Srinagar
— ANI (@ANI) July 28, 2025
Visuals of security checking of commuters being done in the area
(Visuals deferred by unspecified time; no live operational details disclosed) pic.twitter.com/eZv95xbqUd
સોમવારે દાચીગામમાં સર્ચ ઓપરેશન દરમિયાન અચાનક ગોળીબાર થયો હતો, જેના કારણે વિસ્તારમાં તણાવ સર્જાયો હતો. આ પછી સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને કાર્યવાહી વધુ તીવ્ર બનાવી હતી. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે હજુ પણ વધુ TRF આતંકવાદીઓ જંગલોમાં છુપાયેલા હોઈ શકે છે.
દાચીગામ જંગલ પહેલાથી જ TRFનું મુખ્ય ઠેકાણું માનવામાં આવે છે. આ જૂથે તાજેતરમાં LoC નજીક લેન્ડમાઇન વિસ્ફોટની જવાબદારી પણ લીધી હતી, જેમાં 1 સૈનિક શહીદ થયા હતા અને 3 ઘાયલ થયા હતા. સ્થાનિક વહીવટીતંત્રે લોકોને અપીલ કરી છે કે તેઓ પોતાના ઘરોમાં રહે અને ઓપરેશનને કારણે આ વિસ્તારથી દૂર રહે. આ વિસ્તારમાં ભારે સુરક્ષા દળો તૈનાત છે અને ઓપરેશન હજુ પણ ચાલુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
