Coronavirus: હવે 18+ વાળા લોકો વેક્સીનેશન સેન્ટર પર જઈને કરાવી શકે છે રજિસ્ટ્રેશન, મૂકાવી શકે છે રસી
કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે આવી રહેલી વેક્સીનેશનની સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નવો નિર્ણય કર્યો છે.
નવી દિલ્લીઃ કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે આવી રહેલી વેક્સીનેશનની સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નવો નિર્ણય કર્યો છે. હવે 18-44 આયુ વર્ગના લોકો માટે Cowin ડિજિટલ પ્લેટફોર્મ પર ઑન-સાઈટ રજિસ્ટ્રેશન/સહાયક સમૂહ રજિસ્ટ્રેશનની સુવિધા આપવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યુ કે વર્તમાન સમયમાં આ સુવિધા માત્ર સરકારી કોવિડ વેક્સીનેશન સેન્ટર્સ માટે લાગુ કરવામાં આવી રહી છે.

જાણો તેના નિયમ
- વાસ્તવમાં ઘણા એવા કેસ સામે આવ્યા કે ઑનલાઈન સ્લૉટ લીધા પછી પણ કોઈ જરૂરી કામ કે ઈમરજન્સીના કારણે લોકો વેક્સીન લગાવવા આવી શકતા નથી. દિવસના અંતે આ રીતે વેક્સીનના ઘણા ડોઝ બચી જાય છે. એવામાં એ રસી બરબાદ ન થાય એ માટે અમુક લાભાર્થીઓને સાઈટ પર જ રજિસ્ટ્રેશન કરાવીને તેમને વેક્સીન લગાવી શકાય છે.
- અમુક એવા લોકો પણ છે જે ઈન્ટરનેટ, સ્માર્ટફોન કે કોઈ પણ પ્રકારનુ રજિસ્ટ્રેશન કરી શકવાથી દૂર છે, તેમને પણ ઑન-સાઈટ રજિસ્ટ્રેશનનો લાભ મળી શકે છે.
- કોવિન પર 18થી 44 વર્ષ માટે ઑન સાઈટ રજિસ્ટ્રેશન અને અપૉઈન્ટમેન્ટ શરૂ કરી દેવામાં આવ્યુ છે.
- ખાનગી કોવિડ વેક્સીન સેન્ટર પર આ સુવિધા ઉપલબ્ધ નહિ હોય.
- જેમની પાસે ફોટો આઈડી નથી તેમને પણ લગાવાશે વેક્સીન
તમે જાણો છો કે વેક્સીન માટે રજિસ્ટ્રેશન કરવા દરમિયાન ઓળખ પત્ર તરીકે આધાર કાર્ડ, વૉટર આઈડી, પાસપોર્ટ, લાયસન્સ, પેન કાર્ડ, એનપીઆર સ્માર્ટ કાર્ડ કે પેન્શન દસ્તાવેજનો નંબર નોંધાવવો અનિવાર્ય છે. પરંતુ દેશમાં અમુક લોકો એવા પણ છે જેમની પાસે ફોટો આઈડી નથી. આવા લોકોને પણ વેક્સીનેશન ડ્રાઈવમાં જોડાવા માટે આરોગ્ય મંત્રાલયે ગાઈડલાઈન્સ જારી કરી છે. આ ગાઈડલાઈન મુજબ મંત્રાલય એવા લોકોની ઓળખ કરી રહી છે. આમાં વિવિધ ધર્મોના સાધુ-સંતો, કેદી, ભિખારી અને અમુક અન્ય લોકો પણ શામેલ છે. આ લોકોને ઓળખપત્ર વિના પણ રસી લગાવવામાં આવશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યુ છે કે આના માટે દરેક જિલ્લામાં એક જિલ્લો નોડલ અધિકારી નામિત કરવામાં આવશે. ઓળખ કરાયેલા લોકોને રસીકરણ માટે જિલ્લી રસીકરણ અધિકારી(ડીઆઈઓ) જવાબદાર રહેશે. જિલ્લા નોડલ અધિકારી એ સુનિશ્ચિત કરવા માટે વ્યક્તિગત રીતે જવાબદાર હશે કે આ વિશેષ છૂટ માત્ર એ લોકો માટે છે જેમની પાસે અનિવાર્ય ફોટો ઓળખપત્ર નથી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
