સ્વતંત્રતા દિવસે 6 શૌર્ય ચક્ર અને 116 સેના પદક એનાયત થશે!
દેશના 75 માં સ્વતંત્રતા દિવસે વિવિધ કામગીરીમાં બહાદુરીનું પ્રદર્શન કરનારા સેનાના છ સૈનિકોને શૌર્ય ચક્ર અને 116 સૈનિકોને સેના મેડલથી સન્માનિત કરવામાં આવશે.
દેશના 75 માં સ્વતંત્રતા દિવસે વિવિધ કામગીરીમાં બહાદુરીનું પ્રદર્શન કરનારા સેનાના છ સૈનિકોને શૌર્ય ચક્ર અને 116 સૈનિકોને સેના મેડલથી સન્માનિત કરવામાં આવશે. મેજર અરુણકુમાર પાંડેને બે કટ્ટર આતંકવાદીઓને મારવા બદલ સ્વતંત્રતા દિવસના પ્રસંગે શૌર્ય ચક્ર એનાયત કરાશે. આ સિવાય જમ્મુ-કાશ્મીર પોલીસને શૌર્ય માટે 256 મેડલ મળ્યા છે.

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર સ્વતંત્રતા દિવસ પર મેડલ માટે કુલ 154 લશ્કરી કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે. તેમાંથી છ લશ્કરી કર્મચારીઓને શૌર્ય ચક્ર, ચારને બાર સાથે વિરતા માટે સેના મેડલ અને 116 ને શૌર્ય માટે સેના મેડલ તેમજ 28 કર્મચારીઓને નોંધપાત્ર સેવા માટે મેડલ એનાયત કરવામાં આવશે. જમ્મુ અને કાશ્મીરમાં જ રાષ્ટ્રીય રાઇફલ્સની 44 મી બટાલિયનના મેજર અરુણ કુમાર પાંડેને ગયા વર્ષે જૂન મહિનામાં જમ્મુ અને કાશ્મીરમાં એક ઓપરેશન દરમિયાન બે કટ્ટર આતંકવાદીઓને મારવા બદલ શૌર્ય ચક્ર એનાયત કરાશે.
18 મી બટાલિયનના કેપ્ટન આશુતોષ કુમારને મરણોપરાંત શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવશે. સાથી સૈનિકનું જીવન બચાવવા અને જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર આતંકવાદીનો ખાત્મો કરવા બદલ આ પુરસ્કાર એનાયત થશે. ગયા વર્ષે નવેમ્બરમાં જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન દરમિયાન તે પોતાના યુનિટની ઘાતક પલટનનું નેતૃત્વ કરી રહ્યા હતા.
રાષ્ટ્રીય રાઇફલ્સની 55 મી બટાલિયનના મેજર રવિ કુમાર ચૌધરી, રાષ્ટ્રીય રાઇફલ્સની 16 મી બટાલિયનના કેપ્ટન વિકાસ ખત્રી, રાષ્ટ્રીય રાઇફલ્સની 9 મી બટાલિયનના રાઇફલમેન મુકેશ કુમાર અને રાષ્ટ્રીય રાઇફલ્સની 34 મી બટાલિયનના સિપાહી નીરજ અહલાવતને પણ શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવશે. શૌર્ય માટે 15 બહાદુર સૈનિકોને મરણોત્તર સેના મેડલનું સન્માન આપવામાં આવી રહ્યું છે.
J&K પોલીસને 256 વીરતા પુરસ્કારો મળ્યા છે અને એક રાષ્ટ્રપતિ પોલીસ મેડલ મળ્યો છે. સબ ઇન્સ્પેક્ટર અમરદીપ સિંહને જમ્મુ અને કાશ્મીર પોલીસમાં બહાદુરી માટે રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. આ વખતે આ મેડલ બે બહાદુર સૈનિકોને પ્રાપ્ત થયો છે, જેમની CRPF ના હેડ કોન્સ્ટેબલ કાલે સુનીલ દત્તાત્રેયનો પણ સમાવેશ થાય છે, જેમણે મરણોત્તર આ મેડલ મેળવ્યો છે. આ સિવાય અશોક ચક્ર એએસઆઈ બાબુ રામ, કોન્સ્ટેબલ અલ્તાફ હુસેન ભટને કીર્તિ ચક્ર અને એસપીઓ શાહબાઝ અહમદને શૌર્ય ચક્ર (તમામ મરણોપરાંત) આપવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
