Omicron : આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે જાહેર કરી નવી માર્ગદર્શિકા, જાણો સંપૂર્ણ વિગતો...
કોરોનાના નવા પ્રકાર Omicron ને કારણે વધી રહેલી ચિંતા વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
Omicron : કોરોનાના નવા પ્રકાર Omicron ને કારણે વધી રહેલી ચિંતા વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારના રોજ વિદેશથી ભારત આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે, જે 1 ડિસેમ્બર (બુધવાર) થી અમલમાં આવશે. SARS- CoV-2 (B.1.1.1.529; Omicron) વેરિઅન્ટને ધ્યાનમાં રાખીને વર્તમાન માર્ગદર્શિકામાં સુધારો કરવામાં આવ્યો છે.
નવી માર્ગદર્શિકા અનુસાર તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ એર સુવિધા પોર્ટલ પર 14 દિવસનો પ્રવાસ ઇતિહાસ અને નેગેટિવ RT PCR ટેસ્ટ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે.

નવી માર્ગદર્શિકાની કેટલીક મહત્વની બાબતો
છેલ્લા 14 દિવસની મુસાફરીની વિગતો સાથે સ્વ-ઘોષણા ફોર્મ ઓનલાઈન એર સુવિધા પોર્ટલ (https://www.newdelhiairport.in/airsuvidha/apho-
registration) પર નિર્ધારિત મુસાફરી પહેલાં સબમિટ કરવાનું રહેશે.
મુસાફરે COVID-19 RT-PCR નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે, જે મુસાફરી શરૂકરતા પહેલા 72 કલાકની અંદર ફરજિયાત છે.
'રિસ્ક-ક્લાસ કન્ટ્રીઝ' સિવાયના દેશોના મુસાફરોને એરપોર્ટની બહાર જવા દેવામાં આવશે અને 14 દિવસ સુધી તેમનાસ્વાસ્થ્યનું સ્વ નિરીક્ષણ કરવું પડશે.
એક પેટા વિભાગ (કુલ ફ્લાઇટ મુસાફરોના 5 ટકા) એ આગમન પર રેન્ડમ સમયે એરપોર્ટ પર કોવિડ 19 પરીક્ષણમાંથી પસાર થવુંપડશે.
તમામ મુસાફરોએ કોવિડ રિપોર્ટની અધિકૃતતા અંગે ઘોષણા પણ કરવી પડશે.

7 દિવસ સુધી સેલ્ફ આઇસોલેશનમાં રહેવું પડશે
મુસાફરોએ સુનિશ્ચિત કરવું પડશે કે, તેઓ મુસાફરી કરતા પહેલા ઘર/સંસ્થાકીય સંસર્ગનિષેધ(ક્વોરેન્ટાઇન પિરિયડ)માંથી પસાર થવાના સરકારી નિર્ણયનું પાલન કરે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર, જોખમમાં રહેલા 12 દેશોમાંથી આવતા મુસાફરોનું એરપોર્ટ પર જ કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને તેમણે રિપોર્ટની રાહજોવી પડશે.
જો રિપોર્ટ નેગેટિવ આવશે, તો તેઓએ 7 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે અને 8મા દિવસે ફરીથી તપાસ કરવી પડશે અને જો નેગેટિવઆવશે, તો તેઓએ આગામી 7 દિવસ સુધી સેલ્ફ આઇસોલેશનમાં રહેવું પડશે.

આ 12 દેશોને જોખમ ધરાવતા દેશોની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે
કેન્દ્ર સરકારે આ 12 દેશોને જોખમી દેશોની શ્રેણીમાં રાખ્યા છે. આ દેશોના પ્રવાસીઓએ ભારતમાં આગમન પર વધારાના પગલાંનું પાલન કરવું પડશે.
દક્ષિણ આફ્રિકા ઉપરાંત યુનાઇટેડ કિંગડમ, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરિસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, હોંગકોંગ અને ઇઝરાયલ સહિતના યુરોપિયન દેશોને જોખમીદેશોની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે.
આ દેશોમાં ઓમિક્રોનના કેસ પહેલાથી જ નોંધાયા છે. આ 12 દેશોમાંથી આવનારા પ્રવાસીઓનું ભારતમાં પણ કોરોના ટેસ્ટ કરવામાંઆવશે અને તેમને ક્વોરેન્ટાઈન પણ કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
