ઑડ-ઈવન 2019: દિલ્લી સરકારે સરકારી ઓફિસોના સમયમાં કર્યો ફેરફાર, જાણો શું છે સમય
દિલ્લી સરકારે ઑડ-ઈવન નિયમ માટે પોતાની ઓફિસના સમયમાં ફેરફાર કર્યો છે. દિલ્લીમાં 4 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી ઑડ-ઈવન નિયમ લાગુ રહેશે.
દિલ્લી સરકારે ઑડ-ઈવન નિયમ માટે પોતાની ઓફિસના સમયમાં ફેરફાર કર્યો છે. 21 વિભાગ સવારે 9.30 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કામ કરશે. જ્યારે અમુક વિભાગ સવારે 10.30 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી કામ કરશે. દિલ્લીમાં 4 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી ઑડ-ઈવન નિયમ લાગુ રહેશે. દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે શુક્રવારે એક બેઠક બોલીવી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો. અરવિંદ કેજરીવાલે આ બેઠકમાં વર્લ્ડ રિસોર્સીઝ ઈન્સ્ટીટ્યુટના મુખ્ય કાર્યકારી અધિકારી ઓપી અગ્રવાલને પણ આમંત્રિત કર્યા હતા.

તેમણે વાહન વ્યવહારને સુગમ કરવા તથા વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે સરકારી ઓફિસોના કામકાજના સમયને અલગ અલગ પાળીઓમાં બદલવાના વિષયમાં સૂચન કર્યા. મુખ્યમંત્રીએ કહ્યુ કે રાજધાનીમાં મોટર વાહન રસ્તાઓ પર એકસાથે ના થાય એ સુનિશ્ચિત કરવા માટે જ સરકારે સરકારી કાર્યાલયોને શરૂ અને બંધ થવાના સમયને બદલવાનો નિર્ણય લીધો છે. ઑડ-ઈવન યોજના દરમિયાન ઓફિસોના કલાકોને અલગ અલગ કરવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલે એક સવાલના જવાબમાં કહ્યુ કે હજુ અમે ખાનગી સેક્ટરના ટાઈમિંગ વિશે કોઈ નિર્ણય કર્યો નથી પરંતુ જો આગળ ક્યારેય ઑડ-ઈવન લાગુ કરીશુ તો ખાનગીને પણ સાથે લેવાની કોશિશ કરીશુ.
અરવિંદ કેજરીવાલે પરાલી બાળવા તરફ ઈશારો કરીને કહ્યુ કે છેલ્લા એક મહિનામાં તો આ જ કામ થયુ છે. તેમણે કહ્યુ કે દિલ્લીના લોકોના આરોગ્ય માટે બહુ ચિંતિત છુ. અમે લોકો પૂરી કોશિશ કરી રહ્યા છે. ઘણા સ્ટેપ્સ ઉઠાવ્યા છે. પરંતુ દિલ્લીની જનતાને વિપક્ષી પાર્ટીઓ ગાળો દઈ રહી છે તે યોગ્ય નથી. વિપક્ષી પાર્ટીઓ સ્મોગ અને પ્રદૂષણ માટે દિલ્લીની જનતા પર આરોપ લગાવી રહી છે. તેમણે કહ્યુ કે હું હરિયાણા સરકારને પૂછવા માંગુ છુ કે તમે અમને જણાવો કે તમે ક્યાં સુધીમા પરાલી બાળવાનુ બંધ કરાવશો. ખટ્ટર સરકાર અને પંજાબની કેપ્ટન સરકારે જણાવવુ પડશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
