શશિકલા બનશે તમિલનાડુના મુખ્યમંત્રી, પન્નીરસેલ્વમે આપ્યું રાજીનામુ
તમિલનાડુના મુખ્યમંત્રી પન્નીરસેલ્વમે રાજીનામુ આપી દીધું છે, જયલલિતાના નજીકના સંબંધી શશિકલા બનશે નવા મુખ્યમંત્રી.
તમિલનાડુ ના મુખ્યમંત્રી ઓ.પન્નીરસેલ્વમે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે, તેમણે પોતાનું રાજીનામું આપવાની સાથે જ જયલલિતા ના નજીકના સંબંધી શશિકલાનું નામ મંત્રીમંડળ સામે મુક્યું હતું. પન્નીરસેલ્વમે રાજીનામુ આપી દીધા બાદ હવે શશિકલા તમિલનાડુના નવા મુખ્યમંત્રી બનશે. શશિકલાના નામના પ્રસ્તાવને પાર્ટીના તમામ ધારાસભ્યોએ સર્વસંમતિથી પસાર કર્યો છે.

જયલલિતાની ભત્રીજી દીપા માધવનને લાગ્યો ઝાટકો
ઉલ્લેખનીય છે કે, જયલલિતાના ભત્રીજી દીપા માધવને પોતાને પાર્ટીના દાવેદાર ગણાવ્યા હતા, તેઓ વારંવાર શશિકલા પર આરોપ પણ લગાવી રહી હતી. પરંતુ પાર્ટીના ધારાસભ્યોએ તેમની વાતો અવગણી કાઢી હતી અને આખરે જયલલિતાની રાજગાદી શશિકલાને સોંપવામાં આવી.
તમિલનાડુ માટે કાળો દિવસ - ડીએમકે
તો બીજી બાજુ, શશિકલાના મુખ્યમંત્રી બનવાની સાથે ડીએમકે એ આનો વિરોધ કરતાં કહ્યું કે, 'તમિલનાડુ માટે આ કાળો દિવસ છે. તમિલનાડુના લોકોએ જયલલિતાના નજીકના સંબંધીને મુખ્યમંત્રી બનાવવા માટે મત નહોતા આપ્યા.'

શશિકલાએ પક્ષના મહાસચિવની કમાન સંભાળી હતી
કહેવાઇ રહ્યું છે કે, જયલલિતાની ખૂબ નજીક એવા શશિકલામાં લોકો અમ્માની છબી શોધતા અને જયલલિતાના નિધન બાદ એ તમામ લોકોની નજર ચિનમ્મા પર જ હતી. આમ પણ તમિલનાડુમાં પન્નીરસેલ્વમના મુખ્યમંત્રી બન્યા બાદ પરિસ્થિતિમાં ખૂબ ઝડપી પરિવર્તન આવ્યું હતું, પક્ષના ઘણા લોકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે પક્ષ તૂટવાની પણ શક્યતા ઊભી થઇ હતી. આ બધા વચ્ચે થોડા સમય પહેલાં જ શશિકલાને પક્ષના મહાસચિવ બનાવવામાં આવ્યા હતા.
એક નવા યુગની શરૂઆત
પક્ષની કમાન શશિકલાના હાથમાં આવ્યા બાદ ઘણા નેતા ઇચ્છતા હતા કે, તેઓ વહીવટી ધોરણે પણ રાજ્યની કામગીરી સંભાળે. ત્યાર બાદ ચેન્નાઇ ખઆતે પક્ષની ઓફિસમાં ધારાસભ્યોની બેઠક યોજાઇ હતી, જ્યાં પન્નીરસેલ્વમે શશિકલાને વિધાનસભાને નેતા બનાવવાનો પ્રસ્તાવ મુક્યો, જે સર્વસંમતિ સાથે પાસ થયો અને શશિકલાના મુખ્યમંત્રી બનવાની વાત પાકી થઇ. રાજકારણીય પંડિતો અનુસાર આ એક નવા યુગની શરૂઆત છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
