હૈદરાબાદ બ્લાસ્ટ: ભટકલ સહિત અન્ય વિરૂદ્ધ બિન-જામીન વોરંટ જાહેર

નવી દિલ્હી, 6 માર્ચ: દિલ્હીની એક કોર્ટે 21 ફેબ્રુઆરીના રોજ હૈદરાબાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટની ધટનામાં ઇન્ડિયન મુજાહિદ્દીન (આઇએમ)ના સંસ્થાપક રિયાજ ભટકલ અને તેના અન્ય નવ કાર્યકર્તા વિરૂદ્ધ મંગળવારે બિન-જામીન વોરંટ જાહેર કર્યું છે.
જિલ્લા ન્યાયાધીશ આઇ એસ મહેતાએ ચેમ્બરમાં સુનાવણી દરમિયાન પાકિસ્તાનના રિયાજ ભટકલ, ઇકબાલ ભટકલ, મોહસિમ ચૌધરી, આમિર રજા ખાન, ડૉ. શાહનવાઝ આલમ, અસાદુલ્લાહ અખ્તર, અરીઝ ખાન, મોહંમદ ખાલિદ, મિર્ઝા શાદાબ બેગ, મોહંમદ સાજિદ વિરૂદ્ધ બિન-જામીન વોરંટ રજૂ કર્યું છે. આ બધા ઇન્ડિયન મુઝાહિદ્દીનના કાર્યકર્તા છે.
સુનાવણી દરમિયાન બે કથિત આઇએમ કાર્યકર્તાઓ- સૈયદ મકબૂલ અને ઇમરાન ખાનને વિશેષ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. કોર્ટે તેમને 13 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યાં છે. આ બંને પાંચ દિવસની રાષ્ટ્રીય તપાસ એજન્સીની કસ્ટડી પુરી થયા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા.
કોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય તપાસ એજન્સીએ કોર્ટને કહ્યું હતું કે મકબૂલ અને ઇમરાનને હૈદરાબાદ લઇ જવામાં આવ્યો હતો અને તેમને બોમ્બ બ્લાસ્ટ વિશે કેટલાક મહત્વપુર્ણ તથ્યોનો ખુલાસો કર્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ એજન્સીએ ન્યાયાધીશને કહ્યું હતું કે હૈદરાબાદ બ્લાસ્ટનું કાવતરું આઇએમ મોડ્યૂલ્સે રચ્યું હતું. તપાસ એજન્સીએ ઇન્ડિયન મુજાહિઉદ્દીનના કથિત કાર્યકર્તા ઓવૈદ ઉર રહમાન વિરૂદ્ધ વોરંટ જાહેર કરવાનો આદેશ આપ્યો છે.
ઓબૈદ હાલમાં બેંગ્લોર જેલમાં છે. કોર્ટે એનઆઇએના અનુરોધનો સ્વિકાર કર્યો છે અને કહ્યું છે કે 'બેગ્લૂર સેંટ્રલ જેલના અધિક્ષકના માધ્યમથી આરોપી ઓબૈદ ઉર રહેમાન માટે 13 માર્ચનું પેશી વોરંટ જાહેર કરવામાં આવે.
એનઆઇએના જણાવ્યા અનુસાર રિયાજ ભટકલના ઇશારે હૈદરાબાદમાં વિસ્ફોટ થયા. કોર્ટે આદેશ પર 28 ફેબ્રુઆરીએ મકબૂલ અને ઇમરાનને રાષ્ટ્રીય તપાસ એજન્સીના હવાલે કરી દિધા છે જેથી કસ્ટડી દરમિયાન તેમની પૂછપરછ કરી શકાય.
આ પહેલાં એનઆઇએએ આરોપ લગાવ્યો હતો કે આ બંને ગત વર્ષે જુલાઇમાં હૈદરાબાદના દિલસુખનગર વિસ્તારની રેકી કરી હતી જ્યાં આ વર્ષે ફેબ્રુઆરીમાં બોમ્બ બ્લાસ્ટ થયા. દિલ્હી પોલીસે આ બંનેને ઓગષ્ટ 2012ના પુણે વિસ્ફોટ કાંડમાં ધરપકડ કરી હતી. બંને તિહાડ જેલમાં હતા.
એનઆઇએએ કહ્યું હતું કે તેમને મકબૂલ અને ઇમરાનની કસ્ટડી જોઇએ છે જેથી તે તેમને હૈદરાબાદ લઇ જઇ શકે અને વિસ્ફોટો વિશે અને કડી મેળવવા માટે તેમની પૂછપરછ કરી શકે કારણ કે હાલમાં તપાસ ચાલુ છે કે આ બ્લાસ્ટમાં આઇએમ મોડ્યૂલની સંડોવણી છે. આ બંનેની પુછપરછથી જ ભટકલની સાચી યોજનાનો પર્દાફાશ કરવામાં મદદ મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
