હવે ઈન્ડિયા ગેટ પર 'અમર જવાન જ્યોત' નહીં જલે, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મશાલમાં વિલીન કરાશે!
નવી દિલ્હી, 20 જાન્યુઆરી : રાજધાની દિલ્હીના ઈન્ડિયા ગેટ પર 24 કલાક સળગતી અમર જવાન જ્યોતિ હવે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં બળશે. ભારતીય સેનાના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે અમર જવાન જ્યોતિની જ્યોત 21 જાન્યુઆરી શુક્રવારે એક સમારોહમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મશાલ સાથે ભળી જશે. એટલે કે હવે ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિની મશાલ હવે પ્રજ્વલિત નહીં થાય.

ભારતીય સેના દ્વારા કહેવામાં આવ્યું છે કે ઈન્ડિયા ગેટ પર બનેલી અમર જવાન જ્યોતિને નેશનલ વોર મેમોરિયલની મશાલ સાથે ભેળવી દેવામાં આવશે, ત્યારબાદ અમર જવાન જ્યોતિની મશાલને બંધ કરી દેવામાં આવશે. શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અને રાષ્ટ્ર પ્રત્યેના તેમના બલિદાનને યાદ કરવા માટે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મશાલ સળગતી રહેશે. ઈન્ડિયા ગેટ પાસે 40 એકર જમીન પર લગભગ 176 કરોડ રૂપિયાના ખર્ચે નેશનલ વોર મેમોરિયલ બનાવવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે પ્રથમ વિશ્વ યુદ્ધ પછી બ્રિટિશ સરકારે ભારતીય સૈનિકોની યાદમાં ઈન્ડિયા ગેટ બનાવ્યો હતો. 1971ના યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના સન્માનમાં ઈન્ડિયા ગેટ પર 'અમર જવાન જ્યોતિ' મશાલ પ્રગટાવવામાં આવી હતી. યુદ્ધ દરમિયાન શહીદ થયેલા ભારતીય સેનાના સૈનિકોને શ્રદ્ધાંજલિ રૂપે અમર જવાન જ્યોતિ ઈન્ડિયા ગેટની નીચે 24 કલાક સળગતી રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
