અવિશ્વાસ પ્રસ્તાવ પર શિવસેનાનું સસ્પેન્સ, ‘એ અમારી સાથે છે': ભાજપ
મોન્સુન સત્રના પહેલા જ દિવસે વિપક્ષે મોદી સરકાર સામે સદનમાં અવિશ્વાસ પ્રસ્તાવ આપ્યો જેને મંજૂર કરીને લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને ચર્ચા માટે શુક્રવારનો સમય આપ્યો.
મોન્સુન સત્રના પહેલા જ દિવસે વિપક્ષે મોદી સરકાર સામે સદનમાં અવિશ્વાસ પ્રસ્તાવ આપ્યો જેને મંજૂર કરીને લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને ચર્ચા માટે શુક્રવારનો સમય આપ્યો. ત્યારબાદ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે અને સરકારના પક્ષ અને વિપક્ષમાં મતદાન કરવામાં આવશે. મોદી સરકાર સામે પહેલી વાર લગાવાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ વિશે સવાલ પૂછવા પર સોનિયા ગાંધીએ જવાબ આપ્યો હતો કે કોણે કહ્યુ કે અમારી પાસે સંખ્યા નથી?

અવિશ્વાસ પ્રસ્તાવ સામે મત આપશે શિવસેના - અનંત કુમાર
વળી, અવિશ્વાસ પ્રસ્તાવ અંગે કાલથી જ ચર્ચાઓનો દોર ચાલુ છે અને આંકડાઓના આ ખેલમાં બહુમતમાં દેખાઈ રહેલી ભાજપે શિવસેનાના મતદાન અંગે નિવેદન આપ્યુ છે. કેન્દ્રીય મંત્રી અનંતકુમારે દાવો કર્યો છે કે ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનના શિવસેના સભ્યના અવિશ્વાસ પ્રસ્તાવ સામે મત આપશે. વારંવાર શિવસેના અંગે પૂછવામાં આવેલા સવાલો પર અનંત કુમારે કહ્યુ કે એનડીએ એક છે અને બધા મળીને અવિશ્વાસ પ્રસ્તાવ સામે મત આપશે.

શિવસેના પર વિપક્ષની પણ નજર
કેન્દ્રની એનડીએ સરકાર લોકસભામાં મજબૂત સ્થિતિમાં છે અને આના પર કોઈ જોખમ દેખાતુ નથી. એનડીએ પાસે લોકસભામાં ભાજપના 274 સહિત 313 સભ્યો છે કે જે બહુમત માટે જરૂરી 268 સંખ્યાથી વધુ છે. માટે વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ પડતો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. વળી, વિપક્ષને શિવસેના પાસે ઘણી અપેક્ષા છે અને તેમને લાગે છે કે 18 સભ્યોવાળી શિવસેના ભાજપને ઝટકો આપી શકે છે.

એનડીએ સરકાર સામે વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ
હાલમાં જ શિવસેના અને ભાજપ વચ્ચે અંતર વધ્યુ છે અને શિવસેનાએ પેટાચૂંટણી દરમિયાન ભાજપ સામે પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. હાલમાં જ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એ પણ એલાન કર્યુ હતુ કે 2019 ની લોકસભા ચૂંટણીમાં તે એકલા ચૂંટણી લડશે. એનડીએ સાથે નહિ. વળી, એમ પણ માનવામાં આવી રહ્યુ છે કે પક્ષનો અત્યારે એનડીએનો સાથ છોડવાનો કોઈ ઈરાદો નથી. આ તમામ ઉલટપલટ વચ્ચે શિવસેના માટે એનડીએ સરકાર સામે મત આપવો થોડુ મુશ્કેલ રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
