ચમકી તાવથી મોત પર વિધાનસભામાં શું બોલ્યા સીએમ નીતીશ કુમાર
બિહારના મુઝફ્ફરપુર અને બીજા શહેરોમાં એઈએસ (એક્યુટ ઈન્સેફેલાઈટિસ સિંડ્રોંમ) એટલે કે ચમકી તાવથી 150થી વધુ બાળકોની મોત પર નીતીશ કુમારે સોમવારે વિધાનસભામાં જવાબ આપ્યો છે.
બિહારના મુઝફ્ફરપુર અને બીજા શહેરોમાં એઈએસ (એક્યુટ ઈન્સેફેલાઈટિસ સિંડ્રોંમ) એટલે કે ચમકી તાવથી 150થી વધુ બાળકોની મોત પર નીતીશ કુમારે સોમવારે વિધાનસભામાં જવાબ આપ્યો છે. બિહાર સીએમ નીતીશ કુમારે બાળકોની મોત પર કહ્યુ કે તે એક્સપર્ટ સાથે બેઠકો કરી ચૂક્યા છે પરંતુ આ બિમારીના કારણો હજુ સામે આવ્યા નથી. વળી, આરોગ્ય મંત્રી મંગલ પાંડેએ આ બિમારીથી મોતમાં ઘટાડો થવાનો દાવો કર્યો છે.

ચમકી તાવ પર અમેરિકી વિશેષજ્ઞોનું મંતવ્ય પણ અલગઃ નીતીશ કુમાર
નીતીશ કુમારે કહ્યુ કે ચમકી તાવથી મોત દૂર્ભાગ્યપૂર્ણ છે. આ એક અત્યંત ગંભીર મુદ્દો છે. 2015માં તેમણે એમ્સ પટનામાં આ બિમારી વિશે નિષ્ણાત સાથે મીટિંગ કરી હતી. અમે ઘણી બેઠકો કરી છે અને આ મુદ્દાઓ પર ચર્ચા કરી. બિમારીનું અસલી કારણ હજુ સુધી સામે આવ્યુ નથી. વિશેષજ્ઞોનું મંતવ્ય મેળવવા માટે એક રિપોર્ટ અમેરિકામાં મોકલવામાં આવ્યો છે. વિશેષજ્ઞોનું મંતવ્ય અલગ અલગ છે. કુમારે કહ્યુ કે ચમકી તાવથી મોત પર આપણે વિચારવુ પડશે કે ગરીબ પરિવાર કેમ પ્રભાવિત થયા છે અને આપણે ગરીબ પરિવારને ગરીબીમાંથી બહાર લાવવા માટે દરેક સંભવ પ્રયત્નો કરવા પડશે. મને એ વાતની પણ શંકા છે કે આ વર્ષે આપણે દુષ્કાળનો સામનો કરવો પડશે. આનાથી મુશ્કેલી થઈ શકે છે. ચમકી તાવ માટે જાગૃતિ અભિયાનની જરૂર છે.

આરોગ્ય મંત્રીએ જણાવ્યુ 28 જૂન સુધી 154 બાળકોના મોત
બિહારના આરોગ્ય મંત્રી મંગલ પાંડેએ વિધાનસભામાં માહિતી આપી કે 28 જૂન સુધી 158 બાળકોના મોત ચમકી તાવથી થયા છે. પાંડેએ જણાવ્યુ કે 28 જૂન સુધી 720 બાળકો ચમકી તાવી ફરિયાદના કારણે હોસ્પિટલમાં ભરતી થયા. 586 બાળકો ઈલાજ બાદ ઠીક થઈ ગયા જ્યારે 154 બાળકોના મોત થઈ ગયા. આરોગ્ય મંત્રીએ કહ્યુ કે ચમકી તાવથી મૃત્યુ દર 21 ટકા ઘટ્યો છે. ડેટા મુજબ છેલ્લા પાંચ વર્ષોમાં એઈએસનો મૃત્યુ દર ઘટ્યો છે.

ચમકી તાવ પર વિધાનસભામાં વિપક્ષનો વિરોધ
બિહાર વિધાનમંડળના મોનસુન સત્રના બીજા દિવસે સોમવારે સંસદની કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષે હોબાળો કર્યો. ચમકી તાવ માટે વિપક્ષે સરકાર સામે કાર્ય સ્થગિત કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. વિધાનસભાની બહાર પણ વિપક્ષી નેતા આ માટે પ્રદર્શન કરી રહ્યા છે. વિપક્ષનું કહેવુ છે કે આરોગ્ય મંત્રી મંગલ પાંડેએ પોતાની નિષ્ફળતા માનીને રાજીનામુ આપવુ જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
