વિકાસદર ઘટવા માટે નોટબંધી નહિ રઘુરામની નીતિઓ જવાબદારઃ રાજીવ કુમાર
પોલિસી કમિશનના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યુ છે કે ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનની નીતિઓ વિકાસ દર ઘટવા માટે જવાબદાર છે.
પોલિસી કમિશનના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યુ છે કે ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનની નીતિઓ વિકાસ દર ઘટવા માટે જવાબદાર છે. વિકાસ દર ઘટવા પાછળ તેમણે નોટબંધીને કારણ માનવાથી સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. નોટબંધી બાદ વિકાસ દર ઘટવા માટે તેમણે રાજન અને યુપીએને જવાબદાર ગણાવ્યા છે. રાજીવ કુમારનું કહેવુ છે કે વિકાસ દરમાં ઘટાડાનું કારણ નોટબંધી નહિ પરંતુ એનપીએ સમસ્યા રહી છે. આના માટે યુપીએ સરકાર અને રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન જવાબદાર છે.

રાજીવ કુમારે સોમવારે કહ્યુ કે વિકાસદર ઘટવાનું કારણ બેંકિંગ સેક્ટરમાં એનપીએ વધવાનુ હતુ. જ્યારે એનડીએની સરકાર આવી તો આ રકમ ચાર લાખ કરોડ રૂપિયા હતી જે વર્ષ 2017 ના મધ્ય સુધીમાં 10.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ. પૂર્વ આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજને નબળા અને નોન પર્ફોર્મિંગ એસેટ્સની ઓળખ કરવા માટે પ્રક્રિયા નિર્ધારિત કરી. આના કારણે બેંકોઓ ઉદ્યોગોને ઉધાર આપવાનું બંધ કરી દીધુ અને વિકાસ દર પર ખરાબ અસર પડી.
નોટબંધીના કારણે વિકાસ દર ઘટવા અંગે નીતિ કમિશનના ઉપાધ્યક્ષે કહ્યુ કે નોટબંધીના કારણે વિકાસમાં ઘટાડાના પ્રત્યક્ષ સંબંધનો કોઈ પુરાવો નથી. વિકાસ દરના આંકડા જોઈએ તો વિકાસ દર નોટબંધીના કારણે નીચે નથી આવ્યો પરંતુ છ મહિનાથી સતત નીચે આવી રહ્યો હતો. જેની શરૂઆત 2015-16 ના બીજા ત્રિમાસિકમાં થઈ હતી. જ્યારે વિકાસ દર 9.2 ટકા હતો. ત્યારબાદ દરેક ત્રિમાસિકમાં વિકાસ દર ઘટતો ગયો. રાજીવકુમારે કહ્યુ કે પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ જેવા લોકોએ પણ નોટબંધીના કારણે વિકાસદરમાં ઘટાડાની વાત કહી પરંતુ આ સંપૂર્ણપણે ખોટી ધારણા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
